________________
નાશ કરે છે અને મર્યા પછી નરકમાં લઈ જાય છે અર્થાત્ દેવદ્રવ્યનો ઉપયોગ કરી કોઈ વ્યક્તિ પોતે પૈસા કમાય તો તે કમાયેલા પૈસા કુળનો નાશ કરે છે અને સ્વયંને નરકમાં લઈ જાય છે. આવું જ ગુરુદ્રવ્ય માટે પણ સમજવું.
चेइअदव्वं साधारणं च जो दुहइ मोहिय-मईओ।। धम्मं च सो न याणइ अहवा बद्धाउओ नरए ।। (संबोध प्रकरण गा. १०७)
જે મનુષ્ય મોહથી મોહિત બુદ્ધિવાળો દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનો સ્વયં ઉપયોગ કરે છે તે ખરેખર ધર્મને જાણતો જ નથી અને તેણે નરકનું આયુષ્ય બાંધી લીધું છે એમ સમજવું.
चेइअ-दव्व-विणासे रिसिघाए पवयणस्स उड्डाहे । संजइ-चउत्थभंगे मूलग्गी बोहि-लाभस्स ।। (संबोध प्रकरण गा. १०५) દેવદ્રવ્યનો નાશ, મુનિની હત્યા, જૈન શાસનની અવહેલના કરવી-કરાવવી અને સાધ્વીના ચોથા વ્રતનો ભંગ કરવો, આ બધુ સમ્યકત્વરૂપી વૃક્ષનાં મૂળને બાળવા માટે અગ્નિ સમાન છે.
स च देवद्रव्यादि-भक्षको महापापो प्रहत-चेताः । मृतो पि नरकं अनुबंध-दुर्गतिं व्रजेत् ।। મહાપાપી, નષ્ટ મનવાળો જે વ્યક્તિ દેવદ્રવ્યાદિનું ભક્ષણ કરે છે તે દુર્ગતિની પરંપરા સર્જીને મર્યા પછી નરકમાં જાય છે.
प्रभास्वे मा मतिं कुर्यात् प्राणैः कण्ठगतैरपि । अग्निदग्धाः प्ररोहन्ति प्रभादग्धो न रोहयेत् ।। (श्राद्धदिन-कृत्य १३४) પ્રાણ કંઠે આવી જાય તો પણ (મૃત્યુ આંખ સામે દેખાય તો પણ) દેવદ્રવ્ય લેવાની બુદ્ધિ કરવી ન જોઈએ. કારણ કે અગ્નિથી બળેલા વૃક્ષો ફરી ઉગે છે. પણ દેવદ્રવ્યના ભક્ષણરૂપ પાપથી બળેલા ફરી ક્યારેય ઉગતા નથી (સુખ પામી શકતા નથી.)
अग्निदग्धाः पादप - जलसेकादिना प्ररोहन्ति पल्लवयन्ति परं देवद्रव्यादि - विनाशोग्र - पाप - पावक - दग्धो नरः समूल - दग्ध - द्रुमवत् न पल्लवयति प्रायः सदैव दुखभाक्त्वं पुनर्नवो न भवति ।
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?
૯૩