________________
જિનમંદિર-જિનમૂર્તિ ખાતાનું (દેવદ્રવ્ય) દ્રવ્ય હોય, તો તે જિનમંદિરજિનમૂર્તિ સિવાય બીજા કોઈ પણ કાર્યમાં વાપરી શકાય જ નહીં. આથી દેરાસ૨ની બાજુના સોસાયટીના કોમન પ્લોટ કે જેને દેરાસર સાથે કોઈ સંબંધ નથી, તેના ફ્લોરીંગમાં કે સંડાસ-બાથરૂમ જેવા કાર્યોમાં દેવદ્રવ્યની કે ધર્મક્ષેત્રના કોઈ પણ ખાતાની ૨કમ ન જ વાપરી શકાય.
આ રીતે ધર્મક્ષેત્રની ૨કમ આવા કાર્યોમાં વાપરનાર ટ્રસ્ટીઓ અવશ્ય દોષના ભાગીદાર બને છે અને એ સુવિધાનો ઉપયોગ કરનાર સોસાયટીના રહીશો હોય કે બિનરહીશો હોય એ દરેકને ધર્મદ્રવ્યનો ઉપયોગ કરવાનો દોષ અવશ્ય લાગે છે. ધર્મદ્રવ્યનો કોઈ પણ પ્રકારે ઉપભોગ કરનારને દૂરંત વિપાકો અને દુર્ગતિની પરંપરાના ભોગ બનવું પડે છે. માટે વહેલી તકે આ દેવું વ્યાજ સાથે ભરપાઈ કરી દોષ મુક્ત બનવું જોઈએ.
દેરાસરમાં બળતા દીવાનો પ્રકાશ પોતાના ઘરમાં પડતો હોઈ તે પ્રકાશમાં હિસાબ લખવાનું કામ કરનારને કેવા દુરંત-દારૂણ પરિણામો ભોગવવા પડ્યાં છે, તે અંગે ધર્મશાસ્ત્રોનું સદ્ગુરુના સાંનિધ્યમાં વાંચન-શ્રવણ કરવાથી સારી રીતે ખ્યાલ આવી શકશે.
પ્રશ્ન-૫૮ - અમારે ત્યાં એક પૂજન થયું, જેના પ્રેરક અને આગેવાન સાધ્વીજી મહારાજ હતા. એમણે એ સંદર્ભમાં એક ઝોળી બનાવીને ભગવાનને ભિક્ષા આપવા પ્રેરણા કરી. એમાં પૈસા જ નાંખવાના હતા અને લોકોએ તેમ જ કર્યું. તો શું આ ઉચિત છે ? કેમ કે ભગવાન ભિક્ષા માટે ઝોળી રાખતા નથી અને ભિક્ષામાં રૂપિયા-પૈસા પણ લેતા નથી, એવો ખ્યાલ છે. એ પૈસા ક્યાં લઈ જવા ?
ઉત્તર-૫૮ - તમે જણાવો છો તેવાં કોઈ પણ પૂજનમાં ભગવાનની ભિક્ષાની વાત અને ઝોળીની વાત આવતી નથી. તેથી આવું બન્યું હોય તો તે અત્યંત અનુચિત છે અને ભગવાનની લઘુતા કરનારું છે. સાધ્વીજી ભગવંતો હોય કે સાધુ ભગવંતો, સુવિહિત પ્રણાલિકા પ્રમાણે ચાલ્યા આવતા પૂજા-પૂજનોનો માત્ર ઉપદેશ આપી શકે. પરંતુ સીધી કે આડકતરી રીતે તેની પ્રેરણા કે આગેવાની ન કરી શકે. વર્તમાનમાં શ્રાવક સંઘના શાસ્ત્રીય માર્ગ સંબંધી ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૮૭