________________
પ્રશ્ન-૫૭ - જૈન દેરાસરના કોઈ પણ ખાતાના પૈસા જેમ કે દેવદ્રવ્ય, સાધારણ, સર્વસાધારણ જેવા ખાતાઓમાંથી દેરાસરની કોઈ પણ મિલકત ના હોય તેમાં વાપરી શકાય કે નહિ? વિગત આ પ્રમાણે છે. એક દેરાસરની બાજુમાં એક સોસાયટીનો કોમન પ્લોટ આવેલો છે. આ કોમન પ્લોટમાં દેરાસરની કોઈ માલિકી નથી. તેમજ દેરાસર અને આ સોસાયટીના કોમન પ્લોટ વચ્ચે કોઈ લેવાદેવા નથી. દેરાસરમાં વહીવટકર્તા ટ્રસ્ટીઓ જ આ સોસાયટીના પણ વહીવટકર્તા છે. તેથી દેરાસરના પૈસાથી સોસાયટીના કોમન-પ્લોટમાં ફ્લોરીંગ તથા બાથરૂમ બનાવેલ છે અને તે અંગે થતા ખર્ચની રકમ રૂ. ૭૦,૦૦૦/- થી ૬૫,૦૦૦/- દેરાસરના ચોપડે ઉધારીને વાપરેલ છે. તો આ રીતે દેરાસરના પૈસા ખાનગી પ્લોટમાં વાપરી શકાય ? આ દેરાસર ટ્રસ્ટ એક્ટ મુજબ ૨જીસ્ટર થયેલ છે. આવી મોટી રકમ ચેરિટી કમિશ્નરની મંજૂરી વગર વાપરેલ છે. સોસાયટીના કોમન પ્લોટ ઉપર આ કાર્ય થયેલ હોઈ આનો દોષ સોસાયટીના સભ્યોને લાગે કે ટ્રસ્ટીઓને લાગે ? આ વાપરેલ રકમની જવાબદારી કોની થાય ?
આ અંગે દેરાસરના ટ્રસ્ટીઓ જવાબદાર ખરા કે નહિ ? આ બાબત પૂરી વિગત સાથે શંકા અને સમાધાન વિભાગમાં જણાવી મને આભારી કરશોજી.
ઉત્તર-૫૭ - તમારા પ્રશ્ન અંગે જણાવવાનું કે, ધર્મક્ષેત્રના કોઈ પણ ખાતાની ૨કમ ધર્મક્ષેત્ર સિવાય બીજે ક્યાંય ન વાપરી શકાય. તેમાં પણ જે કાર્યો સાધારણમાંથી જ કરી શકાય તેમ હોય તેવા કાર્યોમાં દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધુસાધ્વી દ્રવ્ય કે અનુકંપા-જીવદયા ક્ષેત્રનું દ્રવ્ય પણ ન વપરાય.
ધર્મત૨ કાર્યમાં ઉપરના દ્રવ્યની જેમ જ શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રનું દ્રવ્ય પણ
ન વપરાય.
જે કાર્યો સર્વસાધારણ (શુભખાતું)માંથી કરી શકાય તેવાં હોય તે કાર્યો માટે સાધારણ દ્રવ્ય પણ ન જ વપરાય.
સાતક્ષેત્રનો નિયમ એવો છે કે, શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રનું દ્રવ્ય સંયોગ વિશેષમાં જરૂર પડે તો સાધુ-સાધ્વી ક્ષેત્રમાં, જૈનાગમ ક્ષેત્રમાં અને જિનમંદિર-જિનમૂર્તિક્ષેત્રમાં વપરાય પણ જીવદયા, અનુકંપા કે ધર્મેતર કાર્યોમાં ન વપરાય અને ૮૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?