________________
ઉત્તર-પ૩ - કંથુઆ વગેરે અત્યંત નાના ત્રસ જીવો ઠંડક અને સુગંધના કારણે ઘણીવાર, આ ફૂલોમાં આશરો લેતાં હોય છે. એટલે નિર્માલ્ય ફૂલો જો નમણમાં, નમણની કૂંડીમાં કે નદીમાં પધરાવવામાં આવે તો ત્રસજીવોની હિંસા થાય. આથી તે ફૂલો કોઈ પણ પ્રકારના પાણીમાં કે પાણીના વહેણમાં પધરાવાય નહીં. તેને કોઈનો પગ ન આવે તેવી, તડકા વગરની છાયાવાળી જગ્યામાં પધરાવવા જોઈએ અને એ જગ્યા ત્યાં કોઈ પશુઓ વગેરે આવીને ખાઈ ન જાય. પ્રશ્ન-૫૪ - પૂજ્ય સાધ્વીજી મહારાજ પુરુષોની સમક્ષ પાટ ઉપર બેસીને કે નીચે બેસીને પણ વ્યાખ્યાન આપી શકે છે ? ઉત્તર-પ૪ - સાધ્વીજી મહારાજ પુરુષોની સમક્ષ પાટ ઉપર બેસીને કે નીચે બેસીને પણ વ્યાખ્યાન ન આપી શકે. વ્યાખ્યાન આપવાનો અધિકાર પ્રકલ્પતિનો છે. સાધ્વી પ્રકલ્પમતિ ન હોઈ શકે, માટે તે પુરુષો આગળ વ્યાખ્યાન ન કરી શકે. આ શાસ્ત્ર મર્યાદા છે. પ્રશ્ન-૫૫ - સાધર્મિક-વાત્સલ્યમાં બૂફે કરાય કે નહિ ? અને તે વખતે જાણે કે રામપાત્ર લઈને ઉભા હોઈએ, તેમ હાથમાં થાળી કે ડીશ લઈ લાઈન લગાડાય કે નહિ ? ઉત્તર-પ૫ - હમણાં હમણાં ઘણી ખોટી રીતો ધર્મકાર્યોમાં પ્રવેશ કરી ગઈ છે, જે જૈન ધર્મની મર્યાદાનો ભંગ કરનારી છે. સાધર્મિક-વાત્સલ્ય, સંઘજમણ કે પ્રભાવના હોય, ત્યારે “સાધર્મિક ભક્તિનો લાભ લેજો, પ્રભાવનાનો લાભ લઈને જજો' એવું જે બોલાય છે, તે બિલકુલ યોગ્ય નથી. ‘લાભ લેજો” એમ ન બોલાય, પણ લાભ આપજો” એમ બોલવું જોઈએ. “પ્રભાવનાનો લાભ લઈને જજો” એમ ન બોલાય, પણ પ્રભાવનાનો લાભ આપીને જજો” એમ બોલવું જોઈએ.
સાધર્મિક જમવા પધારે ત્યારે એમને આવકાર આપવો જોઈએ, દૂધથી તેમના પગ ધોવા જોઈએ, ઉચિત આસને તેમને બેસાડવા જોઈએ. બહુમાનપૂર્વક પીરસવું જોઈએ. ઉચિત પ્રકારે આદરપૂર્વક આગ્રહ કરવો જોઈએ. જે કંઈ તેઓ વાપરે તેનું અનુમોદન થવું જોઈએ અને જાય ત્યારે આપ અમને લાભ આપીને મોટો ઉપકાર કર્યો ફરી પણ લાભ આપજો, ૮૪ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો?