________________
લાગે છે. જો ધજાનો પડછાયો ઘર ઉપર પડે એટલા માત્રથી જ દોષ લાગતો હોત તો પહેલા અને છેલ્લા પ્રહરનો પડછાયો પડે, તેમાં પણ દોષ લાગવો જોઈએ. પણ તેમાં દોષ લાગતો નથી, કારણ કે હકીકત જુદી છે. “બીજા-ત્રીજા પ્રહરની ધજાનો પડછાયો ઘર ઉપર ન પડવો જોઈએ” - આ વિધાનની પાછળ દેરાસરથી ગૃહસ્થનું ઘર કેટલું દૂર હોવું જોઈએ કે, જેથી ગૃહસ્થના ઘરમાં થતી પ્રવૃત્તિઓની અશુદ્ધિના કારણે દેરાસરની આશાતનાનો દોષ ન લાગે, તે જણાવવાનો છે. બીજા-ત્રીજા પ્રહરમાં એટલે કે સૂર્યોદય પછીના લગભગ ત્રીજા કલાકથી નવમા કલાક સુધીના ગાળામાં સૂર્ય ઉપર ચડવાના કારણે ધજાનો પડછાયો દેરાસરની અત્યંત નજીકના પ્રદેશ ઉપર જ પડતો હોય છે. એટલે દેરાસરથી ગૃહસ્થનું ઘર એટલું બધું નજીક હોય, તો દેરાસરની આશાતનાનો દોષ લાગે, માટે ગૃહસ્થ પોતાનું ઘર, દેરાસરથી એટલું નજીક ન બનાવવું જોઈએ.
ટૂંકમાં કહીએ તો ધજાના પડછાયાની વાત દેરાસરથી ઘર કેટલું દૂર હોવું જોઈએ, કેટલું નજીક ન હોવું જોઈએ, એ મર્યાદા દર્શાવવા માટે છે. બીજાત્રીજા પ્રહરમાં દેરાસરની ધજાનો પડછાયો પડે એટલું નજીક ગૃહસ્થનું ઘર ન હોવું જોઈએ. જે ઘર ઉપર બીજા-ત્રીજા પ્રહરમાં ધજાનો પડછાયો પડતો ન હોય, તે ઘર ઉપર પહેલા-ચોથા પ્રહરમાં ધજાનો પડછાયો પડે, તેમાં કોઈ બાધ નથી. કારણ કે, તે ઘર શાસ્ત્ર નિષેધ કરેલ ક્ષેત્ર મર્યાદામાં આવતું નથી.
હવે કોઈ જિનમંદિરની ઉપર ધજા ન લગાડે, પણ ધજા હોય અને તેનો બીજા-ત્રીજા પ્રહરમાં પડછાયો પડે, એટલા નજીકના અંતરમાં પોતાનું ઘર બનાવે, તો ધજા ન હોવાના કારણે ધજાનો પડછાયો ન પડવા છતાં પણ તેને દોષ લાગે છે અને ધજા હોવા છતાં બીજા-ત્રીજા પ્રહરમાં ધજાનો પડછાયો ન પડે, એટલે દૂર ઘર બનાવ્યું હોય અને એના ઘર ઉપર પહેલા-છેલ્લા પ્રહરમાં ધજાનો પડછાયો પડતો પણ હોય, તેમ છતાં તેને કોઈ જ દોષ લાગતો નથી.
લોકોમાં આ વિષે પૂરું જ્ઞાન ન હોવાના કારણે વહેમ પેસી ગયો જણાય છે. પ્રશ્ન-૫૩ - દેરાસરમાં ભગવાનને ચડાવેલાં ફૂલો વગેરે બીજા દિવસે જે ઉતારી લેવામાં આવે છે, તે નિર્માલ્ય ફૂલોનો નિકાલ ક્યાં કરવો ? એને નમણમાં, નમણની કુંડીમાં કે નદીમાં પધરાવાય કે નહિ ?
ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?
૮૩