________________
ઉત્તર-૪૫ - ભગવાનની પ્રતિમાના માધ્યમથી ભગવાનના જીવનની દરેક અવસ્થાઓનું ચિંતન ક૨વાની જિનાજ્ઞા છે. જે ચૈત્યવંદન મહાભાષ્ય આદિ ગ્રંથોમાં સ્પષ્ટરૂપે વર્ણવેલી છે. ૫૨માત્માની અનેક અવસ્થાઓ પૈકીની જ એક અવસ્થા ‘રાજ્યાવસ્થા' છે, એનું ભાવન કરવા માટે જ આંગી-અંગરચનાનું વિધાન છે. વ્યવહાર ભાષ્ય નામના આગમ ગ્રંથમાં પરમાત્માના બિંબનું ‘શૃંગાર કર્મ’ એટલે જ અંગરચના કરવાની વાત આવે છે. માટે જ શ્વેતાંબર પરંપરામાં આંગીની અસ્ખલિત પરંપરા પણ જોવામાં આવે છે.
પરમાત્માની પૂજામાં જગતની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવી સઘળી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ, એવું વિધાન પંચાશક, ષોડશક, દર્શનશુદ્ધિ પ્રકરણ, ધર્મસંગ્રહ, શ્રાદ્ધવિધિ જેવા પ્રાચીન-પ્રાચીનતર ગ્રંથોમાં જોવા મળે છે. સોનું-રૂપું અને સોના-રૂપામાંથી બનેલ વસ્તુઓ જગતમાં શ્રેષ્ઠ ગણાય છે. માટે એનો વપરાશ જિનપૂજામાં કરાય છે. માત્ર શોભા વધારવા માટેનો જ એમાં હેતુ હોતો નથી, પણ જિનાજ્ઞાના પાલન અને ઉપરોક્ત હેતુ સિવાય, દ્રવ્યમૂર્હાત્યાગ, બાલ જીવોને પ્રતિબોધ વગેરે અન્ય અન્ય અનેક હેતુઓ પણ હોય છે.
જિનદર્શન કરનાર આરાધક માત્ર આંગીમાં જ અટવાઈ જાય, એ પણ યોગ્ય નથી. આંગી એ માધ્યમ છે, પરમાત્મા સાથે જોડાણ ક૨વાનું ! આંગીથી બાહ્ય જોડાણ થાય. બાહ્ય જોડાણ આંતરિક જોડાણનું કારણ બને છે. પરમાત્માની આંગીના માધ્યમથી પરમાત્માના ૫૨માત્મ તત્ત્વ સાથે મિલન ક૨વાનું છે. આ બધું ક્રમિક છે. પહેલાં પિંડસ્થ અવસ્થાનું ધ્યાન, પછી પદસ્થ અવસ્થાનું ધ્યાન અને તે પછી રૂપાતીત અવસ્થાનું ધ્યાન આ ક્રમ છે. પરમાત્માની રાજ્યાવસ્થાના વૈરાગ્યની સ્મૃતિ કરાવતી આંગી એ પિંડસ્થ અવસ્થામાં ગણાય છે. કોઈક જીવવિશેષને ઉત્ક્રમથી (આડાઅવળા ક્રમે) ધ્યાન આવે એ બને, પણ સર્વ જીવ માટે એ કાયદો લાગુ પાડી ન શકાય. પ્રશ્ન-૪૬ - પૂજાનાં કપડાં પહેરીને સામાયિક કરાય ?
ઉત્તર-૪૬ - પૂજાનાં કપડાં પહેરીને સામાયિક કરવું યોગ્ય નથી. સામાયિક શ્વેત-સુતરાઉ વસ્ત્ર પહેરીને કરવું જોઈએ, જ્યારે પૂજાનાં વસ્ત્રો કિંમતી, રેશમી વગેરે હોય. સામાયિકમાં વધુ સમય બેસવાનું હોય, પરસેવો થવાથી વસ્ત્રો ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ? ૭૯