SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલુ થયેલ રિવાજ છે અને ભોગના ભૂખ્યા લોકોએ સાંસારિક વાસનાઓની પૂર્તિ માટે આવા રિવાજો ચાલુ કરેલા જોવાય છે. ધર્માર્થીજનોએ આવી કોઈ પણ પ્રવૃત્તિ કરવી ઉચિત જણાતી નથી. અર્જનોમાં કેટલેક સ્થળે આવી પ્રથા છે, તેની દેખાદેખીથી આપણે ત્યાંય કેટલાક લોકો આવી પ્રવૃત્તિ કરતા હોય છે, જે ઉચિત જણાતી નથી. પ્રશ્ન-૪૩ - શાસ્ત્રમાં કહ્યું છે કે સંઘર્ષ ન કરવો. અત્યારે ધાર્મિક બાબતોમાં વિવાદ ઊભો કરી સંઘર્ષ કરી જે કોર્ટ સુધી પણ લઈ જવાય છે, તો તે કેટલું ઉચિત છે ? ઉત્તર-૪૩ - ધર્મ જ્યારે પોતાનો લાગશે, ત્યારે જ આ વસ્તુ સમજાશે. સોબસો રૂપિયા જેવી ત્યાજ્ય વસ્તુઓ માટે સગા બાપ કે ભાઈ સામે જે લોકો ત્રણે કોર્ટે જાય છે, તેઓ ધર્મના સિદ્ધાંતોની રક્ષાના પ્રસંગે “મૌન' ને ‘શાંતિની વાતો કરે છે, ત્યારે આશ્ચર્ય થાય છે. શાસ્ત્રોમાં પૌદ્ગલિક ત્યાજ્ય વસ્તુઓ માટે સંઘર્ષ કરવાની ના પાડી છે, વ્યક્તિગત માન-અપમાનને વશ થઈ સંઘર્ષ કરવાની ના પાડી છે. પરંતુ ધર્મ, ધર્મના સિદ્ધાંતો, ધર્મગુરુનું ગૌરવ, ધર્મસ્થાનોની સ્વાયત્તતા, તીર્થરક્ષા, જિનાજ્ઞા આવી બધી આત્મહિતકર સર્વજીવ કલ્યાણકર બાબતોની રક્ષા ખાતર અનિવાર્ય સંઘર્ષ ખેલવાની ક્યાંય ના નથી પાડવામાં આવી. શાસનરક્ષા ખાતર સંઘર્ષ કરવો એ પણ એક પ્રકારની આરાધના છે. આવા અવસરે મૌન રહેવાથી તો પાંચ મહાવ્રતો અકબંધ પાળનારા સાધુનાં પણ એ પાંચ મહાવ્રતોનો નાશ થઈ જાય. હા, એક વાત ચોક્કસ છે કે આ સંઘર્ષ કરતી વખતે પણ હૈયાના કોઈ પણ ખૂણામાં કોઈ પ્રત્યે અંગત વૈર, અભાવ, દ્વેષ, તિરસ્કારનો ભાવ ન હોવો જોઈએ. આ સંઘર્ષમાં હાર-જીતની કાષાયિક પરિણતિઓ ન સ્પર્શવી જોઈએ અને આ સંઘર્ષ પણ વિવેકને વેગળો મૂકીને ન થવો જોઈએ. ન્યાયપૂર્વકના વિનય-વિવેકભર્યા તમામ પ્રયત્નો કર્યા બાદ પણ સત્ય સિદ્ધાંતોને ગૂંગળાવી દેવાતા હોય, એ સત્યના આરાધકોને રૂંધી નંખાતા હોય, સત્યના એ આરાધકોને ક્યાંય ઉભા રહેવાની જગ્યા ન રહે એવી પેરવીઓ ૭૬ ધર્મદ્રવ્યનો વહીવટ કેવી રીતે કરશો ?
SR No.005566
Book TitleDharmdravyano Vahivat Kevi Rite Karsho
Original Sutra AuthorN/A
AuthorDharmdhwaj Parivar
PublisherDharmdhwaj Parivar
Publication Year2013
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devdravya
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy