SearchBrowseAboutContactDonate
Page Preview
Page 976
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ તત્વત્રયી–મીમાંસા. ખંડ ૨ ૧ જે સર્વ પ્રાણિઓને બ્રહ્માંડ દેહ તે વિરાટુ પુરુષ છે. બ્રહ્માંડથી પણ બહાર દશાંગુલ વધીને રહે છે. ૨ ભૂત, ભવિષ્ય અને વર્તમાન રૂપ જેટલું જગત્ છે તે તેનું જ સામર્થ્ય છે. ૩ દેહને આશ્રય લઈ દેહાભિમાની પુરુષ ઉત્પન્ન થયે. અર્થાત બ્રહ્માંડ રૂપ દેહ ઉત્પન્ન કરીને બ્રહ્માંડ રૂપ જીવ ઉત્પન્ન થયે. ૪ તેજ દેવ, તિયફ, મનુષ્ય આદિ રૂપવાળે થયે. ભુમિ ઉત્પન્ન કર્યા પછી એનું શરીર બનાવ્યું. એ ક્રમથી સુષ્ટિ ઉત્પન્ન થઈ. ૫ પછી મનથી તે પુરુષને દેવેએ યજ્ઞ કર્યો. તે યજ્ઞથી દધ્યાદિ ભાગ્ય પદાર્થ ઉત્પન્ન થયા, અને અરણ્ય-ગ્રામ આદિનાં પશુ આદિ પદાં થયાં. અને સાથે ચાર વેદ પણ ઉત્પન્ન થયા. અને બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય, શુદ્ર તેના મુખ, બાહુ, ઉરૂ પગ રૂપથી કલ્પાયા. મનથી ચંદ્ર, ચક્ષુથી સૂર્ય, મુખથી અગ્નિ અને પ્રાણથી વાયુ ઉત્પન્ન થયાં. ઈત્યાદિક વિશેષ તે વેદનાં સૂકતેથી વિચારવું. આ સુષ્ટિ સંબંધનાં ત્રણ સૂકતે બાદના દશમા મંડલના અંતમાં જે મુકવામાં આવ્યા છે તે પ્રાયે જૈન સર્વના તત્વના વિશેષ પરિચયમાં આવ્યા પછી વેદના પંડિતાએ વેદ મૂલક ઠરાવવાને પાછલથી દાખલ કરી દીધાં હેય? આ મારૂં અનુમાન મારા આગળના વિચારોથી પંડિત ને પણ વિચારવાને અવકાશ મળશે. આ ત્રણ સૂકોના રચનાર એક નથી, પણ એક જ વિષયનાં ત્રણ સૂક્ત થી ત્રણ જાહેર થાય છે. પ્રલયનું સૂકત મંત્ર ૭ નું છે. બીજું હિરણ્ય ગર્ભનું સૂકત મંત્ર ૧૦નું છે. ત્રીજું વિરાટુંના સ્વરૂપનું પુરુષ સૂક્ત મંત્ર ૧૬ નું છે. એમ એક એકથી મોટાં છે છતાં પ્રાયે સ્વરૂપથી તે એકજ સ્વરૂપનાં લખાયેલાં છે. છતાં પુરુષસૂકતને તે ચારે વેદોમાં જ દાખલ કરી દેવામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy