SearchBrowseAboutContactDonate
Page Preview
Page 947
Loading...
Download File
Download File
Page Text
________________ - --- - પ્રકરણ ૩૩ મું. શંકરદિવિજયમાંની બે ચાર વાતને વિચાર. ૨૧૫ પરિણમન થએલું નથી, પણ તે જ્ઞાન દીવાની તલે અંધારાના જેવું જ માની શકાય, કારણ–સત્યજ્ઞાનરૂપ સૂર્યના કિરણોને પ્રકાશ પડતાં અંધકારની તાકાત શી કે ત્યાં ટકી શકે? અગર જો રાગાદિક અંતરંગ શત્રુઓનું પ્રાબલ્ય દેખાતું હોય તે, ત્યાં તે સત્યજ્ઞાનરૂપ સૂર્યની કિરણનો પ્રકાશ પડેલો છે એમ કયા ગુણ વિશેષથી માની લે ? પિતાના મનમાં પોતે જ્ઞાની બની બેઠેલાઓને આ વાત ખાસ ધ્યાન પર લેવા જેવી છે. સત્યજ્ઞાનીઓએ ૧ પ્રમદ, ૨ મધ્યસ્થ, ૩ કારૂણ, અને ૪ ઔદાસીન્ય આ ચાર મહાન ભાવનાઓને ધારણ કરી, જેમાં સ્વપરનું હિત સધાતું હોય તેવા માર્ગનું વળણ અંગીકાર કરવું, તેજ તેમના માટે કલ્યાણકારી છે. પરંતુ શંકર સ્વામીની પેઠે દુનિયામાં ઉત્પાત કરી મુકવે તે ખરા જ્ઞાની પુરૂષને માર્ગ ન ગણાય, એવું મારું માનવું છે. આગળ તે જ્ઞાની પુરૂષ સ્વીકારે તે ખરૂં ભૂલચૂકની ક્ષમા ચાહુ છું. ઈત્યતં વિસ્તરણ. ઇતિ શંકર દિગવિજયમાંના કેટલાક ફકરાઓને, દક્ષિણ વિહારી મુનિ અમરવિજયે કરી બતાવેલા વિચાર. ખંડ બીજો પ્રકરણ ૩૩ મું. સાધારણ સામાન્ય વિચારોનું પ્રકરણ ૩૪ મું. છે કેઈ અત્યંત પ્રાચીન કાળમાં સર્વાના વચનથી છુટા પદ્ધ સ્વતંત્ર બનેલે એકાદ પંડિત વર્ગ, તે પઠન પાઠનના ધંધાથી પિતાને નિર્વાહ ચલાવતે કેમાં આદર સત્કારને પ્રાપ્ત થયેલે, પિતપતાના શ્રદ્ધિત દેવતાઓની સ્તુતિઓ કરવામાં અને દશ્ય પદાર્થોના ગુણોની કલ્પના કરવામાં પણ ચતુર હશે. તેમના દેવે જોતાં અગ્નિ, વાયુ અને સૂર્ય એ ત્રણ મુખ્ય તરીકેના માલમ પડે છે. તે સિવાય–સેમ, યમ, વરૂણાદિક પણ જોવામાં આવે છે. સેમ તે એક જંગલીની વેલી તેમના હાથમાં આવતાં તેના રસનું પાન માદકતા ઉત્પન કરનારૂ જઈ તેણે મોટા દેવતા તરીકે કલ્પવામાં આવ્યા. તે પંડિતે આ બધા દેવતાઓની સ્તુતિઓ કરતા અને તેમના ઉદેશથી ધીરે ધીરે મોટા આડંબરથી રાજ રજ વાડાઓમાં યજ્ઞયાગાદિક કરવાને પણ પ્રબંધ કરતા ગયા. અને તે કરેલી સ્તુતિઓને સંગ્રહ પણ કરતા ગયા. જેમાં મોટામાં મોટે સંગ્રહ કરવામાં આ તેણે વેદના નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy