SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ તત્ત્વત્રયી--મીમાંસા. વિકાએ ચક્રવતીના ૧૪ રત્નામાં કરેલી કલ્પના—કાવ્યું—— . लक्ष्मीः १, कौस्तुभ २ पारिजातक ३ सुरा ४ धन्वंतरि ५ चंद्रमाः गावः कामदुधा ५ सुरेश्वर गजो ८ रंभादिदेवांगनाः ९ ॥ अश्वः सतमुखो १० सुधा ११ हरि धनुष १२ शंखो १३ विषं चांबुधेः रत्नानि चतुर्दश प्रतिदिनं कुर्यात् सदा मंगलं ॥ १ ॥ ખંડ ૨ ભાવાર્થ-~-૧ લક્ષ્મી, ૨ કૌસ્તુભ મણિ, ૩ પારિજાતક (પવૃક્ષ), ૪ સુરા (મદિરા), ૫ ધન્વ ંતરિ વૈદ્ય, ૬ ચંદ્રમા, છ કામધેનુ ગાય, ૮ ઇંદ્રના હાથી, ૯ રભાદિ દેવાંગનાઓ, ૧૦ સાત મુખવાળા ઘેડો, ૧૧ અમૃત, ૧ર હિર ધનુષ, ૧૩ શ’ખ, ૧૪ વિષ (ઝેર) આ ૧૪ રત્ના મંગલ કરવાવાળાં વૈદિકમાં પ્રસિદ્ધ છે. બ્રહ્માએ આ બધી સૃષ્ટિની રચના કરી, એ વ.ત અનાદિના વેદેમાં, બ્રાહ્મણ ગ્રંથામાં, ઉપનિષદેમાં અને છેવટ પુરાણા સુધી લખાઇ. તેમાં દેવ દાનવે ને વિરાધી થયાનું લખીને ખતાવ્યું છતાં બન્ને ભેગા થઇને મેરૂ પર્વત ઉઠાવીને લાવ્યા. અને અનાદિના એક જ વિષ્ણુ ભગવાન કે જે જગતને! વાર વાર ઉદ્ધાર કરવાતે કાચબાનું સ્વરૂપ ધારણ કરોને સમુદ્રના તલીએ જઇને બેઠા, તેમની પીઠ ઉપર મેરૂ ગાઢળ્યે, પછી શેષનાગને પકડી લાવી તેનાં નેત્રાં બનાવ્યાં. પછી અનાદિકાલના જે એક બ્રહ્યા હતા તે અને ખીજા મહાદેવજી અને પછી બધાએ દેવ દાનવેએ ભેગા મલીને પેલા મેને વલેના ના રવાઇયાની પેઠે ફેરબ્યા અને ઉપર બતાવેલાં ૧૪ રત્ના બહાર કાઢયાં. વાળા, તે ૧૪ રત્નોમાંથી—લક્ષ્મી, કૌતુક્ષમણિ, ધનુષ અને શંખ આ ચાર ચીજો વિષ્ણુએ લીધી એમ વૈદિક માનતા હોય, એમ હું અનુમાન કરૂં છું, અને કલ્પવૃક્ષ, ચંદ્રમા, હાથી, સાતમુખના ઘેાડા, રંભાદિ દેવાંગનાઓ, અને અમૃત આ છ ચીજો દેવ દાનવા એ લઇને વેહુંચી લીધી એમ માન્યતા થઇ હોય. અને જે સાતમુ જેર ( વિષ ' તે મહાદેવજી લઇ ને રાજી થયા એ વાત તેા પ્રસિદ્ધ છે. એકદરે ૧૧ રત્ના થયાં પરંતુ x મદિરા, ધન્વંતરિ વૈદ્ય અને કામધેનું આ ત્રણ રત્ના સ્વતંત્ર પણ રહ્યાં કે કઇ એ લઇ લીધાં તેના સબંધે હું કાંઇ અનુમાન કરી શકયા નથી કેાઇ પંડિત બતાવશે તે વિચારીશું. × આર્યોના તહેવારાનેા ઇતિહાસ પૃ. ૧૫૧ માં—લખ્યું છે કે ' · દવેાએ સમુદ્ર મંથન કરીને અનેક રસ્તે પેદા કર્યાં, તેમાં સુરા પણ હતી, દેવાએ તેનું સેવન કર્યું, દૈત્યોએ તેને સ્વીકાર કર્યો નહીં...આ ઉપરથી * સુરા ’ ગ્રહણ કરનારા દેવ અથવા અર્દિતિના વંશજ ‘ સુર ’ એ નામથી પ્રસિદ્ધ થયા, સુરા ન ગ્રહણ કરનારા દૈત્ય—અસુર એ નામથી પ્રસિદ્ધ થયા. એ સબંધી રામાયણમાં લે'ક મલી આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy