SearchBrowseAboutContactDonate
Page Preview
Page 779
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ મું. ધર્મના બહાને કપિત કહેવામાં કુશલતા, ૪૭. એમ આશ્ચર્યજનક કલમ ૧૧ થી ૨૪ના વિચારવાળું ખંડ બીજે પ્રકરણ ૧૨ મું ના પ્રકરણ ૧૩ મું. (૧) વેદની આજ્ઞા તેજ ધર્મ બાકી અધર્મ. ભાગવત. સ્કંધ ૬ ઠ્ઠો. અધ્યાય ૧ લે. (સં. ૪૭૧. પૃ. ૭૬ ) જે કરવાને વેદે આજ્ઞા કરેલી છે તે ધર્મ અને જે કરવાની વેદે મનાઈ કરેલી છે તે અધર્મ.” આમાં વિચાસ્વાનું કે-જે કરવાની વેદે આજ્ઞા કરી છે તે ધર્મ, એમ એકાન્ત ન કહી શકાય ? કારણ આ ચાલતા વેદેમાં પ્રાયે ઘણે ઠેકાણે પશુઘાતને ઉપદેશ થએલે છે. તે ધર્મ સ્વરૂપને છે એમ બધી દુનીયાએ અંગીકાર કરે નથી. જે વેદ ધર્મ એકાન્ત સત્ય રૂપને હેતને વૈદિક ક્રિયા કાંડને એક ઠેકાણે દાખી મુકવાની જરૂર ન પડતી? તે સિવાય વિદિક ધર્મનાજ ઉપનિષદકારે તે હિંસા ધર્મને અનાદર સૂચવી આત્મિક ધમની વાત પણ ન કરતા? માટે એટલું જ કહેવાની જરૂર હતી કે જે કાર્ય કરવાથી સ્વપરના આત્માને વિકાશ થાય તે જ ખરે ધર્મ છે બાકીને અધમ છે અને સ્વાથી લેકેના પ્રપંચ છે. તે સિવાય વધારે ન કહી શકાય. (૨) ધર્મના માટે પુરાણે કે અધર્મના માટે? મસ્યપુરાણ. અધ્યાય. ર૩૮ માં જુ - “દેવતાઓને પ્રસન્ન કરવા પશુઓની હિંસા કરવાનું વર્ણન વિસ્તારથી કરેલું છે.” વળી આગળ-મસ્ય. પુઅધ્યાય. ૨૬૦માં-“ઘરની વાસ્તુક કરાવતાં પણ બલિમાં-માંસ, રૂધિરને ચઢાવવાનું તે એગ્ય તરીકે બતાવેલું છે.” આ બધા લેખોનો સાર એ જણાય છે કે-ભુઆ ભૂત બતાવે, જેથી ગ્રહ પીડા બતાવે, વૈદ્ય કફ પિત્ત પ્રકોપ બતાવે. તેવી રીતે માંસના લાલચુઓ પશુને હેમવાનું બતાવતા હોય. કદાચ નીચ દેવતાઓ નીચ કાર્ય દેખીને પોતાનું રાજીપણું બતાવતા હોય પણ તેથી સિદ્ધી શી? પણ ઉત્તમ પુરૂષથી આવા નિંદ્ય કાર્ય થઈ શકે નહિ અને તે આવા નિંદ્ય કાર્યમાં સમ્મતિ પણ આપી શકે નહિ. એમ અમારું માનવું થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy