SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વનયીની પ્રસ્તાવના mmmmmmmmm મુખ્યપણે પ્રતિબંધ થવાના કારણ રૂપે થએલી છે. કારણ કે હરિભદ્રસૂરિ પ્રથમ બ્રાહ્મણજ હતા, અને પિતે ચઉદે વિદ્યામાં પૂર્ણ રીતે નિપુણતાજ ધરાવતા હતા. એટલું જ નહી પણ વાદ વિવાદમાં ઉતરીને સેંકડો પંડિતને પરાજિત કરીને જ છોડતા હતા. સાંભળવામાં આવ્યું હતું કે વાદવિવાદને શેખ એટલે બધે હસે કે વર્ગના દેવેની સાથે અને પાતાળ વાસી દેવાની સાથે વાદ કરવાના ચિન્હ રૂપ એક નિસરણી પણ સાથમાં લઈને ફરતા. વાત ગમે તેમ હોય પણ આટલી વાતતો નિશ્ચય રૂપની જણાય છે કે તેઓ સહેરમાં એવી પ્રતિજ્ઞા કરીને ફરતા કે- જેનાથી હું હારી જાઉં કે જે શબ્દનો અર્થ હું જાણી શકું નહી તેને તે માટે શિષ્યજ થવું. આ પ્રતિજ્ઞા તે તેમની સત્ય રૂપનીજ હતી. વાત એવી બનીછે આ બ્રાહ્મણ સહેરમાં ફરતા ફરતા જૈન સાધ્વીઓના ઉપાશ્રય આગળ આવી ચઢયા. ઉપાશ્રયના અંદરના ભાગમાં એક વૃદ્ધા સાદવી રકિ રિપુ આ ગાથાનું પરાવર્તન કરી રહ્યાં હતાં, તે સાંભળીને આ બ્રાહ્મણ વિચાર કરવા લાગ્યું કે- કહેતાં ઘંટીનાં પડ બે, પણ સાથમાં રિપળ તે શું? એમ અનેક તર્ક વિતર્કની સાથે આ ગાથાને અર્થે બેસડેવા ઘણુ વખત સુધી ગડમથલ કરતા રહ્યા. પણ પિતાની પ્રતિજ્ઞાને યાદ કરતા ત્યાંથી જરાપણ ખસ્યા નહીં. છેવટે કંઈ પણ રીતે પત્તો નહી લાગવાથી તે બ્રાહ્મણે તે વૃદ્ધા સાઠવીને બેલાવીને કહ્યું કે હે માત ? આ તમારા ચિક્ક ચિક્કાય માન શબ્દનો અર્થ શું છે? તે વૃદ્ધાએ કહ્યું કે હે પુત્ર? અર્થ સમજાવવાને અધિકાર અસાર નથી. અમારા ગુરૂજી નજીકમાં છે તેમની પાસે જઈને અર્થ સમજે. પછી તેમના ગુરૂજીની પાસે જઈને ગાથાને અર્થ સમજ્યા, અને જૈન ધર્મની બીજી પણ અનેક ગૂઢ બાબતને સમજી તેમના શિષ્ય રૂપે થઈને રહ્યા. ત્યાર બાદ સંસ્કૃત-પ્રાકૃતાદિકના ૧૪૪૪ ગ્રંથની રચના કરતાં પ્રતિબંધના કારણ રૂપે થએલી તે સાધ્વીના ઉપકારને માન આપવા પિતાના ગ્રંથના અંતે-જાતિની મત્તાપુરુ શ્રી હરિભદ્રસૂરિ એ નામથીજ પિતાની પ્રસિદ્ધિ બતાવતા રહ્યા. તેમના ગ્રંથના અંતમાં-ચાકિની મહત્તરાસૂનું શ્રીહરિભદ્રસૂનું અથવા વિરહ શબ્દ મુકેલે જોવામાં આવશે. તે પંડિતેને લક્ષ્યમાં રાખવાની ભલામણ કરું છું. આ દુનીયાં તે અજ્ઞાનથી ડુબેલીજ છે, પરંતુ પંડિતેની પણ તેવા પ્રકારની હાલત જોઈ કાંઈક ખેદ અને કરૂણવાળા થએલા શ્રી હેમચંદ્રાચાર્યશ્રી સર્વજ્ઞ ભગવાન મહાવીર સ્વામીની લેક ૩ર થી સ્તુતિ કરતાં સેં. ૨૩ માં કહે છે કે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy