SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ તત્ત્વત્રયી--મીમાંસા. * , ખંડ ૧ mamma આનર્ત વિષયે તાપસના આશ્રમમાં-રૂક ભગવાન નગ્ન રૂપે ભિક્ષાને માટે ગયા. એટલે ત્રાષિઓની સ્ત્રીઓ મેહિત થઈને પાછળ ફરવા લાગીઓ. પછી ક્રોધમાં આવેલા ત્રાષિઓએ કહ્યું કે–અરે પાપી ! તેં તે અમારા આશ્રમની વિંટબનાજ કરી, તેથી તારૂં લિન્ગ ટુટી પડે? એમ શાપની સાથે જ મહાદેવનું લિન્ગ ત્રુટીને જુદુ પડ્યું અને ધરતીને ભેદીને પાતાલમાં પેસી ગયું મહાદેવ પણ લજિજત થઈ બાલકનું રૂપ ધરીનેલિગના રતે પાછળ ચાલ્યા ગયા. એટલે ત્રણે લોકમાં મોટા ઉત્પાતની સાથે ખલભલટાજ થઈ ગયે, એટલું જ નહી પણ ભયભ્રાંત થએલા દે-ઈદ્ર વિણ આદિકને શાથમાં લઈ બ્રહ્માની પાસે ગયા અને કહેવા લાગ્યા કે હે બ્રહ્મન ! આ શું પ્રલય કાળ આવ્યા પછી ધ્યાનથી તપાસી બ્રહ્માએ કહ્યું કે અરે આતે પેલા ત્રષિઓના શાપથી લિગ ત્રુટી પડયું તેને ઉત્પાત છે અને તેથી ત્રણ લોક વ્યાકુળ થઇ ગએલું છે? હવે તે ઉત્પાતની શાતિના માટે બ્રહ્મા, વિષ્ણુ આદિ બધાએ દેવે તે બીલના માગે પાતાલમાં ગયા, ત્યાં મહાદેવજીને બાળકરૂપે સુતેલા જોયા. પછી દેવેએ સ્તુતિ કરી કે હે મહાદેવ ? બ્રહ્મારૂપે તે અને વિષ્ણુરૂપે તો તું એકજ છે, એટલું જ નહિ પણ તારા વિના દુનીયામાની કઈ વસ્તુજ નથી. માટે કૃપા કરી લિન્ગને ધારણ કરે. શિવે કહ્યું દેવતાઓ અને બ્રાહ્મણે પૂજવાનું કબૂલ કરે તે ધારણ કરું. પછી બ્રહ્માએ કહ્યું કે–પ્રથમતે હુંજ પૂજીશ તે પછી બીજા બધા પૂજે તેમાં નવાઈ શી છે? પછી ત્યાં પાતાલમાં પેસીને-બ્રહ્મા, વિષ્ણુ અને ઈંદ્રાદિકેએ મળીને પ્રથમ મહાદેવના લિન્ગની પૂજા કરી. ઈત્યાદિક વિશેષ. ખંડ ૬ ઠાન, અધ્યાય ૧ લાથી જુવે. “આગળ એજ ખંડના બીજા અધ્યાયમાં જણાવ્યું છે કે–તે લિન્ગને ઉપાડીને બહાર કાઢતાં તેની સાથે પાતાલ ગંગા પણ બહાર નીકળી આવી અને ચંડાલપણાને પ્રાપ્ત થએલે ત્રિશંકુ નામને રાજા તેમાં સ્નાન કરીને રાજ્યને ઉચિત શરીરવાળે થઈ ગયે ઈત્યાદિ.” આ બાબતમાં કિંચિત્ વિચાર-પ્રથમ કંદ પુરાણના લેખથીજ જોયું હતું કે-લિંગ તુટયા એ ત્રણ લેકમાં પસયું અને દેવતાઓની પ્રેરણાથી બ્રહ્મા સ્વર્ગમાં અને વિષ્ણુ પાતાલમાં પત્તો મેળવવા ગયા, પણ પત્તો મેળવ્યા વગરજ પાછા આવ્યા હતા. ફરીથી આ સ્કંદપુરાણવાળે જણાવે છે કે-લિંગ ત્રુટીને જુદું પડતાં ધરતીને ભેદીને પાતાલમાં પેલું, શિવજી પણ તેજ લિન્ગના રસ્તેથી પાતાલમાં જઈને સુતા. ભયથી દેએ બ્રહ્માને જઈને પુછ્યું. ધ્યાનથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy