SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ela તત્ત્વત્રયીની પ્રસ્તાવના, -~ : ૧૮ માં અને ૧૯મા તીર્થંકરના મધ્યમાં એક કરોડ વર્ષનું અંતર પડેલું છે. તેમાં પ્રથમ ૬ ફૂટ વાસુદેવ, પછી ૮ મા ચકવતી અને તેમના પછી ૭ મા વાસુદેવ, એમ કમવાર થયા છે. એમાં જે કાંઈ વિશેષ છે તે જેન અને વૈદિક પ્રમાણે ઇસારા માWી લખીને બતાવું છું.– ' . " જૈન પ્રમાણે પ્રથમ ૬ કુંત્રિક-આનંદ બલદેવ, પુરૂષપુંડરીક વાસુદેવ અને બલિ નામના પ્રતિવાસુદેવ થયા છે. વાસુદેવને જે કન્યા વરવાની હતી તે બલિ નામના પ્રતિવાસુદેવે હરણ કરી. આનંદ અને પુરૂષપુંડરીક લડવાને ચઢયા, પણ એક વખતે પાછુ હટવું પડ્યું, બીજી વખતની ચઢાઈમાં બલિ પ્રતિવાસુદેવનું માથું કાપી નાખ્યું. અને વાસુદેવે નિર્વિબપણે ત્રણે ખંડનું રાજ્ય ભગવ્યું બેમાંના એક પણ સદ્દગતિના ભાગી થએલા નથી. એ અનાદિને જ નિયમ બંધાઈ ગએલે છે. વેદિકમાં આ એકજ કથા ચાર સ્વરૂપમાં છે, તે જુવે છે કે , (૧) બલિએ સેવા કરી ઈદ્રપદ મેળવવા પ્રયત્ન કર્યો. ૯૯૦નું પુરા થતાં શ્રીકૃષ્ણને ચિંતા થઈ કે-અલ્લાદને મારૂં આપેલું ઈદ્ર પદ જાય નહીં તેમ કરૂં. એટલે વામન રૂપ ધરીને બલિની પાસે સાડાત્રણ ડગલાં જમીન માગી. ત્રણ પગથી બધી જમીન માપીને અડધું ડગલું બલિના પીઠ ઉપર મૂકી પાતાળમાં બેસી ઘાલ્યો. પણ બલિનું નામ રાખવા દીવાળીના ચાર દિવસ તેને રાજ્ય પર સ્થાપી પિતે દ્વારપાલ થવાનું કબૂલ્યું. આમાં વિચારવાનું કે-દ્વારિકાના દાહ વખતે શ્રીકૃષ્ણ પિતાના કુટુંબને પણ સંભાળી શક્યા ન હતા, પોતે પણ જંગલમાં જ પ્રાણ ગુમાવી બેઠા હતા, તેમણે ઈદ્રપદ આપવાનો અધિકાર કયાંથી મેળવેલે ? . . (૨) રામાયણમાં–શ્રીકૃષ્ણ વામન રૂપ ધરી બલિને છળવા તેની પાસે અર્પણ જલ માગ્યું પણ બલિના નાલવામાં શુક્રાચાર્ય પઠા, પાણી પડવા દીધું નહીં. નાલવું સાફ કરવા જતાં શુક્રાચાર્યની આંખ કુટ. આ બધાં કલ્પનાનાં કસમે શા કારણથી ગુંથાયાં? . . (૩) સ્કંદ પુ. માં-પૂર્વ ભવના ધૂર્ત બલિએ ગણિકાને તાંબૂલ આપવા માંડયું, ભૂમી પર પડતાં શિવને અર્પણ કર્યું. પાપ દૂર થતાં સાડાત્રણ ઘડી ઈંદ્રપદ મળયું. અંગસ્તિ આદિને હથી આદિનાં દાન આપ્યાં. તે પાછું મેળવવા પૂર્વના ઈદ્ર યમને પ્રાર્થના કરી અને નરકમાં મોકળવા વીનવ્યા. ચિત્રગુપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy