SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ AAAAAA monannos પ્રકરણ ૩૮ મું. પુરાણમાટે બાબૂ વંકિમચંદ્રને ખેદ. ૩૧૭ પૃ. ૮–૧૦–માં આ દેશના વતનીઓના મગજમાં અસલથીજ જે અભિપ્રાય ઘુસી ગયો છે તે, અને તે એ છે કે-સંસ્કૃત ભાષામાં જે જે કાંઈ લખાએલું, જે જે કાંઈ રચાએલું છે, તે તે સઘળું નિવિવાદ ઋષિઓની જ કૃતિ છે, અને તે સઘળામાં સંદેહ રહિત સત્ય સમાએલું છે–ચારેદ, લાખ શ્લેકથી ભરેલું મહાભારત, હરિવંશ, અઢાર પુરાણે, એ સઘળું એકજ માણસે (પૃ. ૧૦ થી) રચ્યું છે. તે પણ કલિયુગના પ્રારંભે આસરે પાંચ હજાર વર્ષ પર અને તે રચનાર વેદવ્યાસનું લખાણ તેવી ને તેવી સ્થીતિમાં, કાંઈપણ સુધારા વધારા સિવાય હજુસુધી જળવાઈ રહેલું છે. આ સંસ્કારે કેટલાએકના ઉપર તે એવી એક તરફી અસર કરી મૂકી છે કે, જો કે તેની વિરૂદ્ધ દલીલ કરવા જાય છે, તે દલીલ સાંભળવાની વાત તે આવી રહી પણ તેવી દલીલ કરનારને તેઓ મહાપાપી, ચંડાલ, તથા દેશદ્રોહી ગણે છે. બીજી બાજુની આફત તે વિલાયતના લેકેના પાંડિત્યની નડે છે તે છે. યૂરેપ અમેરિકાના કેટલાક પંડિતેએ સંસ્કૃતનું શિક્ષણ લીધું છે અને પ્રાચીન સંસ્કૃત ગ્રંથમાં કોઈ તવારીખી સચ્ચાઈ છે કે નહિ, તે શોધી કાઢવા તેઓ મં પડેલા છે પરંતું પરાધીન, દુર્બલ, હિંદુઓ કઈ કાલે પણ સુધરેલા હોઈ શકે ? અથવા તેમને સુધારે ઘણું પ્રાચીન કાળને હેાય એ વાત તેમનું મન કબૂલ કરી શકતું ન હેવાથી, બે ચાર જણ સિવાય બીજા સઘળાઓ પ્રાચીન ભરતખંડનું ગૌરવ તેલ પાડવા મથ્યા રહ્યા છે. અસલ હિંદુસ્થાનમાં રચાયેલા ગ્રંથને મચકુર (માત્ર હિંદુ ધર્મના વિરોધી બૌદ્ધ ધર્મોમાંના ગ્રંથમાંની હકીકત સિવાયને) આધુનિક હાલ થોડા વખતપર રચાયેલ છે અને હિંદુઓના પુસ્તકમાં જે જે કાંઈ છે તે ખોટું છે, અસત્ય છે, અથવા તે તે બધુ પારકાદેશમાંથી ચોરી લીધેલું છે, એવું સાબિત કરવા તેઓ યત્નપૂર્વક મંડયા રહ્યા છે.” આગળ પ્ર. ૧૧. માં બાબજી લખે છે કે- “ખેદની વાત એટલીજ છે કે હિંદુસ્તાનના કેળવાએલા વર્ગમાં પણ, એ વિદ્વાનોના મતને ખરે માનનારા ઘણે મહટે ભાગે મળી આવે છે. - ઘણુઓ પિતે તે વિષય પર બિલકુલ પણ વિચાર કરવાની તસ્દી લીધા સિવાય, આંખ મીંચી ચુરેપના પંડિતેને મત તે પિતાને મત એમ સ્વીકારી લે છે.” આમાં વિચારવાનું છેદની વાત એટલી છે કે-હિંદુસ્તાનના કેળવાએલા વર્ગમાં એ વિદ્વાના (યુરેપના વિદ્વાના) મતને ખરે માનનારા ઘણે હેટે ભાગે મળી આવે છે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy