SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૮ મું. વૈદિક ત્રણ દેવોમાં વિષ્ણુ મેટા. ૩૦૯ “ભારદ્વાજ કહે છે કે પૂર્વ કાલમાં પાછલી રાત્રે ઉઠેલા–મધૂસુદનને (કૃષ્ણને) વિચાર થયો છે. પૃથ્વી વિના ભૂતને કણ ધારણ કરે? એ વિચાર કરી ધ્યાનથી પૃથ્વીને પાતાલમાં જોઈ, પછી વરાહનું રૂપ ધારણ કરી ખેળતાં ખેળતાં સાતમા પાતાળમાં ગયા. ત્યાં પૃથ્વીને ધુજતી જોઈ. પછી ત્યાંથી લાવીને સમુદ્રના મધ્યમાં સ્થાપી તે વખતે મંગલ તૂર થયાં અને સનકાદિ સર્વે ખુશી થયા પછી વરાહની આજ્ઞાથી બ્રહ્માએ યથાસ્થાન તેની ગોઠવણ કરી ઈત્યાદિ. | સ્વર્ગ, મૃત્યુ, અને પાતાલ એ ત્રણ લેક અને તેમાં રહેલા જીવાદિક પદાર્થો અનાદિ કાળના છે. નતો કેઈએ ઉત્પન્ન કર્યા છે તેમજ નતે કે તેને નાશ કરવા સમર્થ છે. માત્ર નિમિત્ત મળવાથી ઉત્પન્ન અને નાશ (અદલ બદલ થતા આપણે પ્રત્યક્ષપણે જોઈ રહ્યા છીએ છતાં પણ પૌરાણીકેએ “ પૃથ્વી પાતાલમાં ગઈ” વિગેરેની તદૃન પાયા વગરની વિચિત્ર કલ્પિત કલ્પનાઓ કરી આ દુનીયાને ઉંધે રસ્તે ચઢાવી દીધી છે. જુવે ઉપરના પૃથ્વી સંબંધેના ત્રણે લેખે. કયા લેખથી શાન્તિ મળે તેમ છે? | ઇતિ પૃથ્વી, પાતાલમાંથી લાવ્યા. તેને વિચાર (૧) વળી ત્રણે દેવોમાં મોટા નાંનાની તકરારમાં વિષ્ણુજ મોટા ઠર્યા. હિંદુસ્તાનના દેવો પૃ. ૧૪૦ થી. કદ પુરાણને લેખ આપી જણાવ્યું છે તેમાંને કિંચિત્ સાર “આખી પૃથ્વી જળમય થઈ હતી. વિષ્ણુ સહસ્રમુખ શેષનાગની છાતી ઉપર લાંબા થઈને સુતા હતા, ત્યારે તેમની નાભિમાંથી એક કમળ ઉત્પન્ન થયું અને તેનું ઉંચુ જતુ કુલ તરતજ પાણીની સપાટી લગણ પહોંચ્યું અને તે ફુલમાંથી બ્રહ્મા નીકળ્યા, બ્રહ્માએ આસપાસ જોયું અને અપાર વિસ્તૃત આકાશમાં કઈ પ્રાણને જોયું નહિ, તેથી તેમણે પોતેજ પ્રથમ જમ્યા છે અને બીજા બધા પદાર્થો કરતાં ઉંચા દરજજાના થવા લાગ્યા છે એમ ધાર્યું. તે પણ તેમણે પ્રથમ સમુદ્રમાં શેધ કરવાને, અને મારી સાથે શ્રેષ્ઠ પદ માટે કઈ તકરાર કરનાર છે કે નહિ તે નક્કી કરવાને નિશ્ચય કર્યો. તેથી તે (બ્રહ્મા) કમળ નાળ તરફ ચાલ્યા અને વિષ્ણુને ઉંઘતા જોયા બૂમ પાડીને પૂછ્યું કે “તમે કેણ છે? ૧ આ જગાએ જુવો નાં છિદંતિ શસ્ત્રાણિનિ નં દહતિ પાવક: ગીતાવાળી કને વિચાર કરે ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy