SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ તત્ત્વત્રયી–મીમાંસા. - ખંડ ૧ તેનો પુત્ર સુભૂમ ચક્રવર્તી રાજા થયે. તે પછી અસંખ્ય રાજાઓ થયા, પછી શાન્તનું રાજા થયે. તેને ગંગા નામની સ્ત્રીથી સીમ અને સત્યવતીથી ચિત્રાંગદ અને ચિત્રવીર્ય પુત્રો થયા. ચિત્રવીર્યના ધૃતરાષ્ટ, પાંડુ અને વિદુર. ધૃતરાષ્ટને દુર્યોધન વગેરે સે (૧૦૦) પુત્રો અને પાંડુને યુદ્ધિષ્ટિર વગેરે પાંચ પુત્ર થયા, તે પાંડવ કહેવાયા. તેમને કાંપિલ્ય પુરના રાજા દ્રુપદની પુત્રી દ્રૌપદીએ સ્વયંવર મંડપમાં વરમાળા નાખવાથી પૂર્વ કર્મના બળે તે તેમની પત્ની થઈ. જુગારમાં રાજપાટ હારી, દેશ છે, તેઓ કૃષ્ણ પાસે દ્વારિકા પહોંચ્યા. ત્યાં દશાહએ તેમને લક્ષ્મીવતી, વેગવતી, સુભદ્રા વિગેરે પાંચ કન્યાઓ આપી. એક દિવસ યવન દ્વીપથી કેટલાક ધનવાન વણિકે રત્નકાંબળ લઈ દ્વારિકામાં આવ્યા, ત્યાં રત્નકાગળ ન વેચતાં હસ્તિનાપુરમાં ગયા. ત્યાં જીવયશાએ તેમના મુખથી કૃષ્ણ બળદેવ જીવતા છે અને તેઓ દ્વારિકા વસાવી ત્યા રહે છે. તેમ સાંભળી પતિના પિતાને પિોતે અગ્નિમાં બળી મરવાનું કહ્યું. તેણે તેમ કરતી અટકાવી. જરાસંધ કૃણને મારવા પિતાના આશ્રિત રાજાઓ અને બીજું મોટું સિન્ય લઈ ચઢ. શિશુપાળ, કૌર, કરૂણ, રૂકમી વિગેરે રાજાઓ તેની સાથે હતા. કૃષ્ણને આ વાતની માર્ગથી ખબર પડતાં તે પણ તૈયાર થઈ પાંડ વિગેરે સાથે સામેં આવ્યા. બન્ને લશ્કરે સામસામે થતાં પાંડવોના હાથે કરણ અને દુર્યોધન વગેરે કૌરવો મરાયા અને કૃષ્ણના હાથથી જરાસંધનું તેનાજ ચકરત્નથી માથું કપાયું. શિશુપાળ પણ કૃષ્ણના હાથથી ભરાયે. આ વિજયપછી કૃષ્ણ છ માસમાં અર્ધ ભારત સાધી વાસુદેવ થયા. રોળહજાર રાજાઓએ અનેક રને અને બબ્બે ઉત્તમ કન્યાઓ વાસુદેવને અર્પણ કરી, તેમાં સળહજાર કૃષ્ણ પરણ્યા. આહજાર બળદેવ પરણું અને આઠહજાર બીજા કુમારે પરણું. નેમિનાથ ભગવાનને પરણવા માટે સમુદ્રવિજય રાજાએ અને શિવાદેવીએ આગ્રહ કર્યો. ત્યારે તેમને કહ્યું કે --ચોગ્ય સ્ત્રી મળે તેમ કરીશ. પ્રદ્યુમ્નને વૈદભ નામની સ્ત્રીથી અનિરૂદ્ધ નામે પુત્ર થયો. તેણે શુભનિવાસના બાણ નામના ઊગ્ર ખેચરની “ઊષા” નામની કન્યાનું હરણ કર્યું. ઉષાને ગોરી વિદ્યા પ્રસન્ન હતી અને બાણે ગૌરીવિદ્યાનાપતિ શંકરદેવનું આરાધન કરી તેની પાસે યુદ્ધમાં અજેયપણાનું વરદાન મેળવ્યું હતુ ગૌરીને આ વાતની ખબર પડતાં શંકર દેવને કહ્યું કે--મેં ઉષાને પહેલું વરદાન આપ્યું છે તેથી આ આપે ઠીક ન કર્યું. શંકરે બાણને કહ્યું કે તું સ્ત્રી વિષય શિવાય બીજે પ્રસંગે અજેય થઈશ. ઉષાના હરણ કર્યાની વાત જાણતાં બાણ અનિરૂદ્ધ સાથે લડવા આવ્યું. કૃષ્ણને આની ખબર પડતાં બાણને લડાઈમાં માર્યો. ભગવાન નેમિકુમાર આ જન્મ બ્રહ્મચારી જ રહેવા માગતા હતા અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy