SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૪ મું જનના–પરશુરામ–સુભૂમ ૮મા ચક્રી. ૨૪૫ સદાની ગુલામગીરી અંગીકાર કરીને ઠગાયા યમરાજ પણ કેટલા બધા જ્ઞાની કે દાનમાં આપેલી ચીજો પાછી મંગાવીને ધૂર્તને નરકમાં મોકલવા ચિત્રગુપ્તને આદેશ કર્યો. ચિત્રગુપ્ત કહ્યું કે એ નરકને યોગ્ય નથી. વિષ્ણુ, યમ અને ચિત્રગુપ્ત એ ત્રણમાં પદવી આપવાનો અધિકાર કેણે? અને વિચારપૂર્વક કાર્યને કરવાવળ કોણ? ઈતિ વૈદિકના વિષ્ણુ અને બલિની સમીક્ષા. પ્રકરણ. ૩૩ મું. સંપૂર્ણ. પ્રકરણ ૩૪ મું. જૈન ઇતિહાસ પ્રમાણે પરશુરામ અને આઠમા સુભુમચકવર્તી, છઠ્ઠી વાસુદેવાદિકનું ત્રિક થયા પછી ૧૮ મા અને ૧૯ મા તીર્થંકરના મધ્યકાળમાં જ પરશુરામ અને આઠમા મુભૂમ ચકવર્તી થયા છે. - વસન્તપુરમાં–માબાપ વિનાને અગ્નિ નામા કરે એક મોટા સાથમાં દેશાન્તર જતાં ભૂલે પડને તાપસામે જઈ ચઢ. તાપસ થઈમટે તપસ્વી થયે, જૈન જૈનેતર બે દેવે ધર્મની પરીક્ષા કરવા નીકળ્યા છે. જેને પદ્મરથ રાજર્ષિ મિથિલાથી ચંપામાં જતાં મળ્યા. દેવમાયાથી એક માર્ગે કાંટા અને બીજા માગે જી કરી મૂક્યા. મુનિએ દયાભાવથી કાંટાને રસ્તે લી. ફરી ગીતગાનના મેહથી પણ ન ફસાયા. એમ અનેક ઉપદ્રવે કર્યા પણ મુનિ પિતાના નિશ્ચયથી ડગ્યા નહિ. દેવે ચાલતા થયા. પેલા બે દેવે પછી જમદગ્નિ તરફ વલ્યા. હજારે વર્ષના તપથી વધી પડેલી દાઢીમાં ચકલા ચકલી રૂપે માળે કરીને રહ્યા. ચકલાએ ચકલી પાસે હિમવંત પર્વતે જવાની રજા માગી. ચકલીએ કહ્યું રજા નહિ આપું. તમે બીજીમાં ફસે તે મારા શા હાલ. ચકલાએ બીજીમાં નહિ ફરવાના માટે ગૌહત્યાદિક અનેક સોગને ખાધા તે પણ માન્યું નહિ. છેવટે જમદગ્નિનું પાપ માથે ચઢાવ્યું ત્યારે ચકલીએ જવાની રજા આપી. તપસ્વીએ બન્નેને પકીને પૂછયું મને પાપી કેમ કહ્યો ? ચકલાએ કહ્યું ગુસ્સો ન કરે, સાંભળો! “મપુત્રાતિનાંતિ” જેની શુભગતિ જ નહિ તેનાથી અધિક પાપી કેશુ? શાસ્ત્ર વચન યાદ આવતાં પરણવા તરફ મન દેડયું. આ સ્થિતિ સમજીને બન્ને દેવે એક વિચારના થયા અને ત્યાંથી ચાલતા થયા. હવે તાપસે નેમિકેષ્ટકના–રાજા જિતશગુની પાસે જઈને કન્યા માગી, ડરથી રાજાએ સો (૧૦૦) પુત્રીઓમાંથી ઈચછે તેને લેવાનું કહ્યું. કન્યા મહેલમાં જઈ મારી ધર્મપત્ની કઈ થશે. શું શું ઘરડા કચ્ચરને લજજાએ નથી. તપસ્વી ક્રોધિત થઈ વિદ્યાના વેગથી કુબધઓ બનાવી બહાર નીકળ્યો. ત્યાં ધૂળમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy