SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ vvvvvy પ્રકરણ ૨૮ મું. ચોથા પુરુષોત્તમ વાસુદેવ અને મધુ પ્રતિ વાસુદેવ. ૨૨૧ સાંભળી વિષ્ણુએ પૃથ્વીને સ્થાવર વિનાની કરી જંગમેને પ્રકૃતિમાં લય કર્યો. બ્રમ્હાએ ગોવિંદને આશીર્વાદ આપ્યો અને કહ્યું કે તેં જગત્ સમુદ્રમય કર્યું હવે મને કરવા જેવું હોય તે કહો. વિષ્ણુએ કહ્યું કે હે કમલનિ મારું વચન સાંભળ, હે દેવ! તેં પુત્રની ઈચ્છાથી ઈશ્વર પાસેથી જે કૃપા મેળવી તે તું સફલ કરી મારાથી અણુ રહિત થા. પછી ઈચ્છા હોય તે ચાર પ્રકારના પ્રાણીઓ જ સરજ અથવા તે છે દે, પછી બ્રહાએ ગેવિંદથી કાર્યને સંકેત જાણી ઉગ્ર તપ કરવા માંડયું, તપ કરતાં ઘણે વખત થયે પણ ફળ થયું નહિ. દુઃખી થવાથી ક્રોધ ઉત્પન થયો તેથી નેત્રમાંથી આંસું પડયાં અને તે બિંદુએથી ઝેરી સર્પો ઉત્પન્ન થયા. પ્રથમ સર્ષે ઉત્પન્ન થએલા જેઈ બ્રમ્હા પિતાને નિંદવા લાગ્યા, મારા તપને ધિક્કાર છે. અરે ! પ્રારંભમાંજ લેકેને નાશ કરનારી પ્રજા ઉત્પન્ન થઈ. બ્રમ્હાને ક્રોધની શાન્તિ ન થવાથી મૂછ આવી અને પ્રાણને ત્યાગ કર્યો. પછી બ્રમ્હાના દેહથા રડતા અગીઆર (૧૧) રૂદ્રો પેદા થયા. સઘળા પ્રાણીઓમાં રહેલા પ્રાણને રૂદ્ર સમજવા. અગીઆર નીલહિત બ્રમ્હાના લલાટથી ઉત્પન્ન થઈ બ્રમ્હાને પુનઃ સજીવન કર્યા. પુત્રરૂપ રૂદ્રે બ્રમ્હાને સજીવન કર્યો ત્યારે કાંઈક સચેત થએલા બ્રમ્હાને રૂદ્ર વચન કહેવાને માંડયું. હે બ્રમ્હા તું મારી પાસે કાંઈ માગ ! અને તું પિતાને સ્મરણ કર, હે પ્રભુ હું રૂદ્ર નામે તારે પુત્ર છું. તું મારા ઉપર કૃપા કર, રૂકનું વચન સાંભળી સજીવન થએલે બ્રમ્હ નેહયુક્ત કહેવા લાગ્યું કે હે દેવ અગીઆર રૂપવાળે તું કેણું છે? રૂદ્રે નમન કરીને કહ્યું કે હે બ્રહ્મા ? તે “ વિષ્ણુ સાથે મારી પાસે ” હે દેવ તું મારે પુત્ર થા અથવા તારા જે ભાર વહન કરનારે પુત્ર આપ. એ પ્રમાણે વર માગ્યું હતું. હે દેવ આ સઘળા પુત્ર વડે કાર્ય કરવાને યોગ્ય છે માટે ખેદ છેવ દે અને તું લેકને સરજ? એ પ્રમાણે રૂદ્રનું કહેવું સાંભળી બ્રમ્હા પ્રસન્ન મનવાળો થયો અને લોકના અંતમાં–કૃષ્ણ અને શુક્લવર્ણવાળા રૂકને ફરી કહેવા લાગ્યો કે હે પ્રભુ તું મારા કાર્યને માટે સહાય થા ? અને મારી સાથે તે પ્રજા ઉત્પન્ન કર? તું સર્વ પ્રાણીઓના બીજ વાળે છે તે પ્રમાણે તું તે કાર્યમાં યુકત થા? શંકરે “અસ્તુ” કહી તે વાત ગ્રહણ કરી. ત્યાર પછી કાળા મૃગચર્મ વડે શોભતા બ્રહાએ પ્રથમ “મન”ને ઉત્પન્ન કર્યું. પછી પ્રાણીઓની “ધારણાને” ઉત્પન્ન કરી. પછી જીભ અને પછી સરસ્વતીને સર્યા પછી ભૂગ, અંગીરા, દક્ષ પુલત્ય, પુલહ,ક્રતું, અને વશિષ્ઠ નામે સાત માનસ પુત્ર ઉત્પન્ન કર્યા. બ્રમ્હાએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy