SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૦ મું. વૈદિકએ કલ્પી કાઢેલા બ્રમ્હાદિદે ૧૭૧ કારણ કે–જેટલા જેટલા અંશથી છને રાગ અને દ્વેષ અધિક હોય તેટલે તેટલે તે પક્ષપાતમાં પડે છે, અને કર્મોથી ભારી થતું જાય છે. અને તેમ તેમ આ સંસારના ચક્રમાં રખડ્યા કરે છે. માટે રાગદ્વેષથી રહિત હોય તેજ જીવ પવિત્ર બને છે એમ ઉપનિષદથી તેમજ અદ્વૈત સિદ્ધાંતના મતથી પણ નિર્વિવાદ સિદ્ધજ થાય છે. નારા (૩) તેમજ જીવને જેટલા પ્રમાણમાં ક્રોધ માનાદિક અધિક હોય તેટલાજ પ્રમાણમાં તે વિવેકાવિવેકથી ચૂકે છે. પણ જેના ક્રોધાદિક નષ્ટ થયા છે તે વિવેકાદિકથી ચૂકે? નજ ચૂકે, તેથી તે પવિત્ર આત્મા પરમાત્મા છે ૩, (૪) તેમજ જેટલા પ્રમાણમાં જીવેને મેહ અધિક હોય તેટલાજ પ્રમાણમાં તે સ્ત્રી, પુત્ર, ધનાદિકમાં લપટાય છે, અને કર્મથી પણ ભારી થાય છે. માટે સર્વથા મેહ નષ્ટ થએજ પરમાત્મા બને ૪, (૫)(૬) જ્યારે છ–રાગ, દ્વેષ, કષાય અને મોહરૂપી મળને બાળી નાખે ત્યારે જ તે પાત્ર બને, ૫, એવી રીતે કર્મરૂપી મળ બળી ગયા પછી દેદીપ્યમાન થએલા આત્માને સર્વ પદાર્થોને જાણવાનું અને દેખવાનું-જ્ઞાન અને દર્શન પ્રાપ્ત થાય; તેજ સર્વજ્ઞ અને સર્વદર્શી આ દુનીયાને સત્ય ધમની પ્રવૃત્તિ બતાવે છે, તે સત્ય ધર્મની પ્રવૃત્તિ થયા પછી, કેટલાકે વિષયમાં લુબ્ધ થએલા પિતાને પંડિતમાની, તે મહાપુરૂષના વિરોધી બની, તેમનાજ વચનેને આશ્રયલઈ, જુઠી સાચી કલ્પનાઓ કરી, અજ્ઞાન વર્ગને પિતાના તરફ દોરે છે. પાદા (૮) જેમણે–રાગ, દ્વેષ, કષાય, અને મેહ સર્વથા નષ્ટ કરી સર્વજ્ઞાપણું, અને સર્વ શક્તિઓ પ્રાપ્ત કરી છે, તેમને કેઇને ભયજ નથી. તે પછી શસ્ત્રોની જરૂર શી છે? છાટ (૧૦) કર્મોની વિચિત્રતાને જાણવાવાલા સર્વ–શાપ કે અનુગ્રહમાં શા માટે પ્રેરાય? લાલા (૧૧૧૨–સર્વ પદાર્થોના સ્વરૂપને યથાવસ્થિત જાણવાવાળાને નવું અને જૂનું શું કે જેથી ખુશી અને દીલગીરી પેદા થાય ? ૧૧૧રા (૧૩) જેમને મેહજ સર્વથા નષ્ટ થઈ ગયો છે તેમને સ્ત્રી આદિની કીડા હોયજ શાની ? ૧૩ા (૧૪) સર્વ પદાર્થોનું સુગધનું દુર્ગધમાં, અને દુધનું સુગંધમાં, પરિવર્તન થયાજ કરે છે એવું જાણવાવાળાને દુર્ગ છા શી? i૧૪ (૧૫) નિદ્રા કમને નાશ કરનારને નિદ્રા હેયજ શાની ? ૧પ (૧૬) સર્વાના માટે નવી વસ્તુ શી કે જેથી હાસ્ય ઉત્પન્ન થાય? લંદા (૧૭) જ્ઞાનના વિલાસીઓને પિતાના આત્માની લીનતા સિવાય બીજુ વિલાસનું સ્થાન કયું? ૧૭ા (૧૮) સર્વ પદાર્થોનું સ્વરૂપ યથાસ્થિત પિતાના જ્ઞાનથી જોઈ રહ્યા છે તેમને ઇષ્ટ કઈ અને અનિષ્ટ કઈ? કે જેશી શેક ઉત્પન્ન થાય? ૧૮ાા આ અઢારે દૂષણથી મુક્ત થઈ જે જીવન મુક્ત જીવે આ દુનીયાને તો બતાવ્યા છે તે જ પરમાત્મા દુનીયાને પૂજનિક છે. બાકી બીજે કઈ પૂજનિક નથી. ઇતિ ૧૮ વણેથી રહિત અનેકેવળજ્ઞાનાદિકથી ભૂષિતતે દૂનીયાને દેવ.પ્ર. ૨૦મું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy