SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૯ મુ પુરાણકાલ તેમાં લખાયલા ઇતિહાસ. ૧૬૧ ‘“પુરાણાનુ ક્રમણિકાઓના સમય-ઘણાં ખરાં પુરાણામાં ૧૮ પુરાણાનાં નામાવળી પુરાણાનુક્રમણિકા મલે છે. એટલે ૧૮ પુરાણા રચાયા પછી અનુક્રણિકા તૈયાર થઇ હાવી જોઇએ, અને બધાં પુરાણા એક સાથે રચાયાં ન હોય, કેટલાંક પહેલાં અને કેટલાંક પછી રચાયાં હોય દા. ત. વિષ્ણુપુરાણુ ભાગવત પહેલાં રચાયુ' છે અને ભાગવત-ભ્રહ્મવૈવત પહેલાં રચાયું છે. વળી વાયુપુ રાણુ વિષ્ણુ, અને ભાગવત એ ચેથી જુનું છે. તે જૂનાં પુરાણામાં અનુક્રમણિકા પાછળથી ઉમેરાઇ હાવી જોઇએ અને મન્યુ છે પણ એમજ, વાયુપુ॰ માં અને વિષ્ણુપુ॰ માં પુરાણાનુક્રમણિકા પાછળથી ઉમેરાચલી પૂર્વાડપર સખધ જોતાં સ્પષ્ટ દેખાય છે. અનેક પુરાણાની પુરાણાનુક્રમણિકામાં એક સરખાં નામે મળે છે એ જોતાં અઢાર પુરાણુ નામે પ્રસિદ્ધ થયા પછી પહેલી અનુક્રમણિકા તૈયાર થઇ હાય અને એ વખતે ઉપલબ્ધ પુરાણેામાં દાખલ થઈ ગઇ હાય એમ જણાય છે. અલ્બીરૂની ( ઇ. સ.-૧૦૩૦) ના વખતમાં ૧૮ કરતાં વધારે પુરાણુ નામેા પ્રસિદ્ધ હતાં એ ઉપર જોયું છે. એથી જૂના કાલમાં ઉત્તરતાં જેને સમય નિશ્ચિત ડાય એવા કોઇ લેખકે ૧૮ પુરાણાનાં નામે નોંધ્યાં હોય એમ મારા જાણવામાં નથી. ફકત કવિરાજ શેષરે અષ્ટાદશપુરાણાના ઉલ્લેખ કર્યાં છે. અને એ રાજશેષરના સમય ચાક્કસ છે. કારણ કે એ કવિ કનેજના રાજા મહેદ્રપાલ ( લગભગ ઈ. સ. ૮૯૦ થી ૯૦૭ ) ના ગુરૂ હતા. રાજશેષરના ઉલ્લેખ ઉપરથી નવમા શતકમાં પુરાણા અઢાર હવાની પ્રસિદ્ધિ પ્રચારમાં આવી હાય એમ માનવામાં વાંધો નથી. સાતમા શતકના બાણુ કવિએ અનેક સ્થળે પુરાણાના ઉલ્લેખ કર્યાં છે પણ કોઇ સ્થળે ૧૮ ના નિર્દેશ નથી કર્યાં. શંકરાચાય, માણુ, આપસ્ત વગેરેના ઉલ્લેખેા જોતાં વાયુ વગેરે કેટલાંક પુરાણા જૂના કાળમાં હતાં એમાં શંકા નથી. પણ સાતમાથી નવમા શતક સુધીમાં અનેક નવાં પુરાણા રચાયાં હોય અને નવમા શતકમાં અઢારની સ ંખ્યા પ્રસિદ્ધ થઇ હાય એમ લાગે છે. પહેલી પુરાણુકમણિકા પણ એ અરસામાં અર્થાત્ નવમા શતકના અંતમાં રચાઈ છે, એમ માનીએ તા મને બહુ વાંધા લાગતા નથી. છેવટે આ લેખકે અનેક તર્ક વિતર્થંકના અંતે જણાવ્યું છે કે નારદીય પુરાણનુક્રમણિકાના સમય ઇ. સ. ૫૦૦-૬૦૦ જેટલા બ્રુને ડરાવવા માટે કાંઇ આધાર રહેતા નથી. અને મને તે ઉપર કહેલાં કારણેાથી એ અનુક્રમણિકા બારમા તેરમાં શતકની લાગે છે, ” 21 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy