SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ - અ + અ , ,, ૫૪. તવત્રયી–મીમાંસા. - ખંડ ૧ પ્રવૃત્તિ લખીને બતાવી છે તે એક સાધારણ માણસને પણ નશેભે તેવી છે. તેમણે આ બધી સુષ્ટિની રચના કરી તે કયા કાળમાં અને તેને ચવાને મસાલા કયા બ્રહ્માંડમાંથી ખેળીને લાવ્યા?. આ જગો પર અનાદિકાળના પ્રવાહથી ચાલતી આવેલી આ સૃષ્ટિના સ્વભાવને અંગીકાર કરતા કાળાદિક પાંચ કારણ– વાદીઓ કહે છે કે, ઈશ્વરકર્તાના હિમાયતી પંડિત સુષ્ટિ કર્તાના સંબંધે કોઈ પણ પ્રત્યક્ષાદિ પ્રમાણ આપી શક્યા નથી તો પણ દુનીયાએ તે વાતને ચલાવી લીધી, તે પછી પ્રત્યક્ષાદિ પ્રમાણ વાળી અમારી વાતને સાચી તરીકે માન કેમ નહી આપે? એવો વિચાર કરીને કાળાદિ પાંચે કારણ વાદીઓ પિત પિતાનાં પ્રમાણ લઈને જાહેરમાં ઉતરી પડે છે. તેના પ્રથમ નામ નીચે પ્રમાણે – પહેલે કાલવાદી, બીજે સ્વભાવવાદી, ત્રીજે નિયતિવાદી (ભવિતવ્યતાવાદી,) ચોથે પૂર્વકૃત કર્મવાદી, (જેને દૈવ કહેવામાં આવે છે. )પાંચમે ઉદ્યમવાદી. આ પાંચે કારણવાદીઓ વસ્તુનું સ્વરૂપ સંપૂર્ણ સમજ્યા વગર પિત પિતાની એકાંગી બુદ્ધિથી ખેંચતાણ કરતા અંધ ગજ ન્યાયનાજ પાત્ર રૂપે ગણાય? જેવી રીતે અતાદિક વાદીઓ-ખેંચતાણ કરી, પિતતાના પક્ષની સિદ્ધિ કરવાને માટે, પ્રમાણેની જાળ પાથરે છે, તે પ્રમાણે આ કલાદિક પાંચ કારણ વાદીઓ પણ-પિતાપિતાનાં પ્રમાણે રજુ કરવાને–જાહેરમાં ઉતરી પડે છે. તે કમવાર લખીને બતાવીએ છીએ. પહેલે કાળવાદી-પિતાના મતની પુષ્ટિ કરતાં કહે છે કે–એવો પદાર્થ દુનીયામાં કર્યો છે કે-જેના ઉપર મહે આક્રમણ નથી કર્યું ? અર્થાત્ સર્વ પદાર્થોના ઉપર મહે. આક્રમણ કરેલું જ છે. કેટલાક મતવાદીએ જગતના કર્તા ઈશ્વર કહે છે પણ તે કયી વસ્તુને કરતાં જણાય ? અને તે અનાદિના બ્રહ્મને સૃષ્ટિની ઉત્પત્તિ કરતાં તેણે જોયે? કારણ–પ્રલય દશાના સૂક્તમાં ખુ જણાવ્યું છે કે “ષ્ટિ ઉત્પન્ન થયા પછી વિદ્વાને ઉત્પન્ન થયા તે આ સુષ્ટિ કયા નિમિત્તથી, કયા ઉપાદાનથી થઈ તે કેવી રીતે જાણું શકે?” માટે આ મુષ્ટિ પ્રવાહથી અનાદિકાળની ચાલતી આવેલી છે. પણ તેને-પળે પળે ફેરફાર કરતા મને શું તમે જોઈ શકતા નથી ? એમ કહી કાળવાદી પિતાનાં પ્રમાણે રજૂ કરે છે–જુ કે–ભૂતેને પેદા કરવા વાળે હુંજ અને હુંજ પ્રજાને નાશ કરું છું, અને સૂતેલાઓને જાગૃત પણ હું જ કરું છું, સ્ત્રીઓ પ્રાપ્ત કાળેજ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy