SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ તત્રયીની પ્રસ્તાવના. ૧૩૭ (૨) સ્વગ અને પૃથ્વી એ બેઉ સઘળા દેવતાઓનાં મા-બાપ છે, એ વિચાર ઘણે ઠેકાણે છે. (૩) ઇંદ્રને વિષે એવું કહેવામાં આવ્યું છે કે-એણે પિતાના શરીરમાંથી એના પિતાને અને એની માતાને જન્મ આપે. (સં. ૧૦, સૂ. ૪૫) - (૪) પૃ. ૧૭૭ માં– વિરોધાભાસી વિચારમાં, વધારે ને વધારે મશગુલ રહેનારા વિપ્રવર્ગની કલ્પનાને, આ વિચાર ઘણે ગમી ગયે હતો એમ સ્પષ્ટ માલુમ પડે છે. (૫) ઋગવેદના ધાર્મિક વિચારે-ધીરે ધીરે વિકાસ પામતાં સઘળા મુખ્ય દેવતાઓથી જૂદા અને એકકે એક દેવતાઓ કરતાં ચઢિયાતા, એવા એક સટ્ટાની કલ્પનાને ઉદ્ભવ થશે. (૬) સુષ્ટિ વિષયક સૂકતમાં–૧ પુરૂષ, ૨ વિશ્વકર્મા, ૩ હિરણ્યગર્ભ, ૪ અને પ્રજાપતિ, એવાં જુદાં જુદાં નામેથી એ ભ્રષ્ટાને–સંબોધન કરવામાં આવ્યું છે. (૭) આ સૃષ્ટિ વિષયક સૂકતમાં–કઈ મૂળ પદાર્થ ઉપરથી બનાવટ કરવામાં આવી હોય અથવા કઈ મૂળ પદાર્થમાંથી ઉત્ક્રાંતિ થઈ હોય એવી રીતનું સુષ્ટિ વિષેનું વર્ણન આપવામાં આવ્યું છે.” વિશેષ તે ગ્રંથથી જોવાની ભલામણ કરું છું અને આમાં કાંઈક વિચાર કરીને બતાવું છું. કલમ સાતેમાં વિચારવાનું કે દેવતાઓએ સુષ્ટિને ઉત્પન્ન કરી.” ત્યારે તેઓ ક્યાંથી આવ્યા હશે? વળી આ મહાવિશાલ પૃથ્વી આદિના મશાલા કયાંથી લાવ્યા હશે ? અને તે પોતે કયા ઠેકાણે ઉભા રહીને આ બધી રચના કરી હશે? બીજે ઠેકાણે-“સ્વર્ગ–પૃથ્વીને દેવતાઓનાં–મા બાપ બતાવ્યાં છે.” ચ હીં વિચાર થાય છે કે-વનસ્પતિ–કીડાઆદિથી તે માણસ સુધીના અનંત અનંત જીના માબાપ કેણુ મનાયા હશે ? ત્રીજામા–“ઇ પિતાના શરીરથી મા-બાપને જન્મ આપે.” અહીં વિચાર થાય છે કે આવા પ્રકારની અનેક કૃતિ માત્રાધિક સમપાનના છાકમાંથી પ્રગટ થએલી હોય. એમ એક ભજનપદથી સમજાય છે- સેમવેલ રસ શુધ્ધ જે, બ્રામ્હણ હોય તે કરે. અવર વર્ણને વમન કરાવે, વેદ વાણી ઉચ્ચરે છે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે. 18 , Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy