SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1128
Loading...
Download File
Download File
Page Text
________________ ~ ~ ૩૯૬' તત્ત્વત્રયી–મીમાંસા. - ખંડ ૨ રીતે કર્યું હતું! આ ચર્ચા ઉપરથી જૈનસાહિત્યના કાલની ચર્ચા ઉપર આવી જઈએ છે. જૈન સિદ્ધાંત વીરનિર્વાણ પછી ૯૮૦ (અથવા ૩) માં દેવદ્વિગણિના અધ્યક્ષપણા નીચે નિશ્ચિત કરવામાં આવ્યું હતું. તેની પહેલાં–તેઓ શિખવતી વખતે લિખિત ગ્રંથને ઉપગ કરતા ન હતા. આ હકીકત તદન સાચી છે. એ તો ભાગ્યે જ માની શકાય કે સર્વથા નજ લખતા હેય. બ્રાહ્મણની માફક જેનું એવું માનવું તે હતું જ નહીં કે લિખિત પુસ્તક અવિશ્વસ્થ છે. જ્યાં સુધી જેનયતિએ ભ્રમણશીલ જીવન ગુજારતા ત્યાં સુધી તેમને લાગું પડે તેવું છે. ઇત્યાદિ. છે હવે આપણે જૈનેના પવિત્ર આગમની રચનાના સમય વિષયક વિચાર કરીએ, સંપૂર્ણ આગમ શાસ્ત્ર પ્રથમ તીર્થકરનું જ પ્રરૂપેલું છે. એ જાતના જૈનના વિચારનું નિરાકરણ કરવા ખાતર હું અહિં સૂચન કરૂં છું કે સિદ્ધાંતના મુખ્ય ગ્રન્થને સમય નકકી કરવા માટે આના કરતાં વધારે સારા પ્રમાણે એકત્ર કરવાં જોઈએ. ગ્રીકનું તિષશાસ્ત્ર ઈ. સ. ની ત્રીજી અગર ચેાથી, શતાબ્દિમાં હિંદુસ્તાનમાં દાખલ થયું હતું. તે સમય પહેલાં જૈનોનાં પવિત્ર આગમો રચાયાં હતાં. બીજુ પ્રમાણ તેની ભાષાવિષયક છે. તેમાં અનેક તર્ક વિતર્કના અન્ત ઈ. સ. ની શરૂઆત પહેલાં રચાએલાં માનવાં જોઈએ, એમ કહી છેવટ ઈ. સ. પૂર્વે ત્રીજી શતાબ્દીના પ્રથમ ભાગમાં સ્થિર કરીએ તે તે ખેડું નહિ ગણાય. તથાપિ એક બાબત અહિં ધ્યાનમાં લેવા લાયક છે તે એ છે કે-જેતા મ્બર અને દિગમ્બરે એ બન્નેનું કહેવું એ છે કે અંગે શિવાય પહેલાંના કાળમાં તેનાથી વધારે પ્રાચીન એવાં ચૌદ પૂર્વે હતાં, તે પૂર્વેનું જ્ઞાન નષ્ટ થતું થતું સર્વથા નષ્ટ થઈ ગયું, આવા પ્રકારની પ્રાચીન પરંપરા માની લેવામાં ઘણી સાવચેતી રાખવાની જરૂર છે. પરંતુ પ્રસ્તુત બાબતમાં (પ્રાચીન પરંપરાની સત્યતાના વિષયમાં) શંકા કરવાને કેઈ કારણ જણાતું નથી. પૂર્વોનું જ્ઞાન બુ૭િન થતું ચાલ્યું હતું, એવી જે હકીકત છે તે તદ્દન વાસ્તવિક છે, અમાએ એ ખુલાસે કરે છે કે પૂર્વે તે સૌથી પ્રાચીન ગ્રંથે હતા, તે પછી તેનું સ્થાન નવા સિદ્ધાંતે લીધું હતું, તે યુક્તિસંગત છે. આવી રીતે પ્રાચીન સિદ્ધાંતને ત્યાગ કરવામાં શું પ્રયોજન હશે? આ વિષયમાં કલ્પના સિવાય અન્ય કેઈ ગતિ નથી. આ ઉપરાંત એ પણ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે, મહાવીર કેઈ એક નવા ધર્મના સંસ્થાપક ન હતા, પરંતુ જેમ મેં સિદ્ધ કરેલું છે કે, તે બે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy