SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1012
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ તત્રયી–મીમાંસા. ખંડ ૨ જ vvvvvvvvvvvvvvv હોય છે તે વણકર સૂત્રનેજ ખોલતો ફરે છે. જે ઉત્પત્તિથી પૂર્વ કાર્ય સર્વથા અસત્ હોય ત્યારે તે આ પ્રકારને નિયમ નહી રહે જોઈએ, આથી માલૂમ થાય છે કે ઉત્પત્તિથી પૂર્વ કાર્ય સર્વથા અસત નથી, તથા સત પણ નથી કહી શક્તા, કેમકે જે સત્ રૂપજ માની લઈએ ત્યારે તે કાર્યની, ઉત્પત્તિજ નથી બની શકતી, જે સત છે તે ઉત્પન્ન કદી નથી થતુ ઉત્પત્તિ વિનાશથી રહિત હોવું જ સનું લક્ષણ છે. પરંતુ કાર્યને અમે ઉત્પન થતુ દેખીએ છિએ, એટલા માટે તે સતું પણ નથી તથા સદડસતું ઉભય રૂપ પણ કાર્યને નથી કહી શકતા. કેમકે સત્ અસત બને આપસમાં વિરોધી છે જ્યાં એકની સ્થિતિ હોય ત્યાં બીજે નથી રહી શકતે એટલા માટે ઉત્પત્તિથી પૂર્વ કાર્ય સદસત્ ઉભથ રૂપ પણ નહીં છે. - આ પૂર્વપક્ષનું હવે સમાધાન કરે છે– (૨) સિદ્ધાંતમrg-૩ત્યા નાર્ : (૫ ૪ . ૬૧) આ સૂત્રની વ્યાખ્યાનો ભાવાર્થ-અર્થાતુ-કાર્યમાં ઉત્પત્તિ અને વિનાશ એ બન્નેની ઉપલબ્ધિ થાય છે, એટલા માટે કાર્ય સત્ અને અસત ઉભય રૂપ છે. જે ઉત્પત્તિથી પૂર્વ કાર્યને સર્વથા અસત્ માનીએ તારે તે તેની ઉત્પત્તિ જ નથી થઈ શકતી. જે સર્વથા અસત છે તે ઉત્પન્ન કદી પણ નથી થઈ શકતુ, અને ન ઉત્પન્ન થતું દેખાયું છે. - શશશ્ર ગ સર્વથા અસત્ છે તેથી તેની ઉત્પત્તિ કદી નથી થતી. એજ પ્રમાણે કાર્ય પણ અસત રૂપ હોવાથી કદી ઉત્પન્ન નહી થશે. એમ જે તેનેં કાર્યને સર્વથા સત્ જ માની એ તે તેને નાશ કદી નહી થશે, જે ઉત્પત્તિથી પ્રથમ સત્ર છે તે પછી પણ સત્ રૂપ જ રહેશે પરંતુ કાર્યને તે અમે દેખીએ છે કે તે ઉત્પન પણ થાય છે. અને વિનષ્ટ પણ થાય છે એથી સિદ્ધ થયું કે ઉત્પત્તિથી પૂર્વ કાર્ય નતે સર્વથા સત્ છે, ન અસત્ છે કિંતુ સદસત્ ઉભય રૂ૫ છે. (૩) વિરોધ પરિહાર–ઉપર કહી ચુક્યા છે કે–સત્ અસત્ આપસમાં અત્યંત વિરોધી છે તેમની એક રથાનમાં સ્થિતિ નથી થઈ શકતી. તે પછી ઉત્પત્તિથી પૂર્વ કાર્યને સદડસત્ ઉવાય રૂપ કહેવું અથવા માનવું કેવી રીતે ઉંચિત સમજવું જોઈએ, એ શંકાના સમાધાન માટે કહે છે—(૩) “ સિદં તુ તડતર (સ. ૪ આ ૨ |. ૧૦) - આ સૂત્રની કરેલી વ્યાખ્યાને લાવાર્થ- અર્થાત્ કાર્યને સદસત્ ઉભય રૂપ સ્વીકાર કરવું તે બુદ્ધિ સિદ્ધ-અનુભવ સિદ્ધ છે, જે વાત અનુભવ સિદ્ધ હોય તેણે માનવામાં કઈ હરકત નથી હોતી. ઉત્પત્તિથી પૂર્વ કાર્ય જે રૂપથી સત્ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005563
Book TitleTattvatrai Mimansa Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorAmarvijay
PublisherJain Sangh Samast
Publication Year1932
Total Pages1174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy