SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનયોગીને ક્રિયાની ઉપયોગિતા - ગાથા-૩૮ જ્ઞાનયોગીને ક્રિયાની ઉપયોગિતા ગાથા-૩૮-૩૯ અવતરણિકા : પુદ્ગલો વડે પુદ્ગલસ્કંધ લેપાય છે, હું લપાતો નથી,' - એવી અનુભૂતિ કરનાર જ્ઞાનયોગી મહાત્મા કર્મથી લેપાતા નથી'; એવું સાંભળી પ્રશ્ન થાય કે, આવા નિર્લેપત્તાનમાં મગ્ન મહાત્માને જો કર્મબન્ધ થતો જ ન હોય તો તેઓ આવશ્યકાદિ ક્રિયાઓ શા માટે કરે છે ? તેનો ઉત્તર આપતાં જણાવે છે - શ્લોક : लिप्तताज्ञानसम्पातप्रतिघाताय' केवलम् । निर्लेपज्ञानमग्नस्य, क्रिया सर्वोपयुज्यते ॥३८॥ શબ્દાર્થ : 9. નિપજ્ઞાનની - નિર્લેપજ્ઞાનમાં મગ્ન એવા મહાત્માને ૨. વમ્ - માત્ર રૂ. પ્તિતા-જ્ઞાન-સમ્પાત-તિવાતાય - લિપ્તતાના જ્ઞાનને આવી પડતું અટકાવવા માટે ૪/ક. સર્વી ક્રિયા - સર્વે ક્રિયા ૬, ૩પયુષ્યતે - ઉપયોગી છે. શ્લોકાર્થ : નિર્લેપત્તાનમાં મગ્ન બનેલા મહાત્માને માત્ર લિપ્તતા-જ્ઞાનના સંપાતને (લિપ્તતા જ્ઞાનને આવી પડતું) અટકાવવા માટે સર્વે ક્રિયા ઉપયોગી છે. ભાવાર્થ : હું નિર્લેપ છું – પુદ્ગલોથી હું લપાતો નથી” એવી અનુભૂતિથી સમૃદ્ધ જ્ઞાનયોગમાં લીન બનેલા મહાત્માઓ કર્મથી લેવાતા નથી, તેમની આવી સ્થિતિ સદા માટે અખંડ રહે તો તેમને કોઈ ક્રિયાની આવશ્યકતા રહેતી નથી, પરંતુ જ્ઞાનયોગની આવી લીનતા એકધારી દીર્ઘકાળ સુધી ટકી શકતી નથી. તેથી તેવા જ્ઞાનયોગી મહાત્માઓ જ્યારે ધ્યાનદશામાંથી વ્યુત્થાનદશામાં આવે છે ત્યારે તેમને પણ લિપ્તતાજ્ઞાનની સંભાવના રહે છે. આ સંભાવના વાસ્તવિક ન બની જાય તે માટે જ આવા જ્ઞાનમગ્ન યોગીઓને પણ સર્વ ક્રિયાઓ ઉપયોગી બને છે.' 1. જ્ઞાનસારનો ટબો : નિતતાજ્ઞાનસમ્પત = લિપ્તતાનું જે જ્ઞાન તેહનો સંપાત જે વ્યુત્થાનદશા = વ્યવહારભાવનાથી આવવું તેમનો પ્રતિકાતા = પ્રતિઘાત નિવારણનઈ કાજઇ વસ્ત્રમ્ = કેવલ નિપજ્ઞાનમગ્નસ્થ = નિર્લેપ જ્ઞાનનઈ વિષઈ મગ્ન ધારારૂઢ તેહનઇ ક્રિયા સર્વોપયુષ્યતે = ક્રિયા જે આવશ્યકાદિ ૩૫યુષ્યતે કહેતાં કામિં આવઇ, મત: વ્ર ધ્યાનારૂઢનઈ આવશ્યકાદિ ક્રિયા શુદ્ધાત્મ ધ્યાનધારા પડતા રાખવીનઇં, જે ક્રિયાલંબન કહી છઈ. // ૧૧/૪ છે. - જ્ઞાનસારે || Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005562
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorKirtiyashsuri
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy