________________
८४
અધ્યાત્મ ઉપનિષદ્ ભાગ બીજો, ૨-જ્ઞાનયોગદ્ધિ અધિકાર
સંસ્કારો નબળા પડવાને કારણે જ જ્ઞાન સફળ બને છે, આમ કરતાં કરતાં અનાદિકાળથી ચિત્તમાં જે પૌદ્ગલિક પ્રવૃત્તિઓ કરવાની વૃત્તિઓ પ્રવર્તતી હતી તે શાંત થતી જાય છે. ચિત્તની આવી નિર્મળ અવસ્થા પ્રાપ્ત થયા પછી જો “આકાશ જેમ અંજનથી લેવાતું નથી તેમ હું પુદગલોથી લપાતો નથી...' વગેરે વિચારણાઓ કરવામાં આવે તો તે વિચારણાઓ હૃદયસ્પર્શી બને છે અને ત્યારપછી પુદ્ગલના ભાવોથી ચિત્ત લેશ પણ ચલ-વિચલ ન થાય તેવી અંતરંગ સ્થિતિ સર્જાય છે. અસંગભાવની આવી ઉચ્ચ ભૂમિકામાં પહોંચેલો જ્ઞાનસિદ્ધયોગી જ કર્મબંધથી લપાતો નથી.
પરમાત્માએ બતાવેલાં તપ-સંયમ આદિ અનુષ્ઠાનોનું સેવન કર્યા વગર જેઓ એકબાજુ નિર્લેપ ધ્યાનની વાતો કરે છે અને બીજી બાજુ વિષયોમાં પ્રવૃત્તિ કરે છે, તેઓ તો “હું લપાતો નથી...' ની કોરી વાતો કે વિચારણા કરવા છતાં પારાવાર કર્મબંધથી લેપાયા વિના રહેતા નથી; તેથી સાધકે એ ખાસ ખ્યાલમાં રાખવું જોઈએ કે પુગલના સંગમાં જેને રાગ-દ્વેષની પરિણતિ પ્રગટતી હોય, ગમા-અણગમાના ભાવો થતા હોય, છતાં જે વ્યક્તિ “હું લપાતો નથી' એવી નિશ્ચયનયની વાતો સાંભળી-“આપણે તો અલિપ્તભાવે કરવું” એમ માની પુદ્ગલની પ્રવૃત્તિઓ કર્યા કરતાં હોય છે, તે વ્યક્તિ કર્મના લેપથી નિર્લેપ રહી શકતી નથી. એ તો પોતાની ભ્રમાત્મક સ્થિતિના કારણે કર્મના લેપથી વધુમાં વધુ લેપાય છે, આથી જ સાધનાના પ્રારંભકાળમાં તો શક્ય તેટલી બાહ્યભાવની પ્રવૃત્તિ છોડીને, આત્મતત્ત્વ પામવા માટે પંચાચારના પાલનમાં સવિશેષ યત્ન કરવો જોઈએ, તે માટે શાસ્ત્રોક્ત ક્રિયાઓમાં પ્રવૃત્ત થવું જોઈએ. શાસ્ત્રોક્ત ક્રિયા છોડી, માત્ર આવા ભાવમાં રહેવાથી શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થાય છે, તેવું બોલનાર કે માનનાર ખરેખર પોતાના ભ્રમને જ પોષે છે. આથી જ “તિ ધ્યાત્િ' = “આ પ્રકારે ધ્યાન કરતો' એ શબ્દોને માત્ર શબ્દોથી ગ્રહણ કરવા નહિ, પણ સૂક્ષ્મપ્રજ્ઞાથી તેના તાત્પર્યને પામવા મહેનત કરવી. ll૩૭ll.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org