SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ સામ્યયોગશુદ્ધિ-અધિકાર ऐं नमः સમતાના સમ્યગૂ ઉપાયો – જ્ઞાન અને ક્રિયા ગાથા-૧ અવતરણિકા : સમ્યગુજ્ઞાન અને સમ્યક્રક્રિયાનું આસેવન કરતાં જે સામ્ય પ્રગટે છે તે સામ્ય શું છે અને તે સામ્યયોગ દ્વારા સાધક કેવા પ્રકારની આત્મશુદ્ધિ અને સુખને અનુભવે છે, તેનું વર્ણન કરતાં ગ્રંથકારશ્રી હવે ચોથા સામ્યયોગશુદ્ધિ અધિકારનો પ્રારંભ કરે છેશ્લોક : ज्ञानक्रियाश्वद्वययुक्तसाम्यरथाधिरूढः शिवमार्गगामी । ને પ્રાપૂ દગારતીનાં કનોડેનુપાનવર્જિનૈતિ' II શબ્દાર્થ : ૧/ર/રૂ. અનુપાન નન: ફુવ - પગરખાં વગરનો માણસ જેમ ૪, પ્રામQ:ટનારતીનાં - ગામ-નગરના કાંટાથી ઉત્પન્ન થતી અરતિની ૧/૬. ર્નિમ્ તિ - પીડાને પામે છે (રિ તુ રથાધિરૂઢ: ર્નિમ્ નૈતિ) - (પરંતુ રથમાં રહેલો માણસ પીડાને પામતો નથી) ૭. જ્ઞાનક્રિયાશ્વયયુવતસાગરથાધિરૂઢ: - (તેમ) જ્ઞાન અને ક્રિયારૂપી બે ઘોડાઓથી યુક્ત એવા સમતારૂપી રથમાં આરૂઢ થયેલ ૮, શિવમf Tી - મોક્ષમાર્ગગામી યોગી છે. (ક્ષત્તિમ) R (ત) - પીડાને - આર્તધ્યાનને પામતો નથી. શ્લોકાર્થ : પગરખાં વગરનો માણસ જેમ ગામ કે નગરના કાંટાથી ઉત્પન્ન થતી અરતિની પીડાને પામે છે, પરંતુ રથમાં બેઠેલા માણસને આવી પીડા થતી નથી) તેમ જ્ઞાન અને ક્રિયારૂપી બે ઘોડાઓથી યુક્ત સમતારૂપી રથમાં આરૂઢ થયેલા મોક્ષગામી યોગીને પણ કોઈ પ્રકારની પીડા ઉત્પન્ન થતી નથી. ભાવાર્થ : પગરખાં પહેર્યા વિનાના પથિકને એક ગામથી બીજે ગામ જતાં, રસ્તામાં કાંટા, કાંકરા વગેરે વાગે છે અને તેનાથી તેને પીડા પણ થાય છે; પરંતુ આ જ મુસાફર જો રથારૂઢ થઈને જાય તો તેને કાંટા વાગવાની કે પીડા થવાની કોઈ સંભાવના જ રહેતી નથી. તેની જેમ મોક્ષમાર્ગના મુસાફરને મોક્ષના માર્ગે આગળ વધવા તપ, સંયમ આદિ શુભાનુષ્ઠાનોનો સહારો લેવો પડે છે. ત્યારે જેઓ જ્ઞાનયોગ અને ક્રિયાયોગરૂપી બે અશ્વોથી અલંકૃત સમતારૂપી રથમાં આરૂઢ ન હોય તેઓને સુધા-પિપાસા આદિ પરિષહો પરેશાન કરે છે; પરંતુ જેઓ જ્ઞાનયોગક્રિયાયોગરૂપ ઘોડાઓથી જોડાયેલા સમતારૂપી રથ ઉપર આરૂઢ થઈ જાય છે, તેઓને આ સુધાદિ પરિષદોથી કોઈ અરતિ થતી નથી. તેઓ સુખભર પોતાના શુદ્ધસ્વરૂપને પામવાની મંઝિલ સુધી પહોંચી શકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005562
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorKirtiyashsuri
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy