SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયાયોગનું સ્વરૂપ - ગાથા-૨ અવસ્થામાં પણ જીવના સ્વાભાવિક લક્ષણરૂપે વર્તે છે. આ ક્રિયાયોગ આત્માની ૫૨મ સ્થિરતારૂપ છે, તે જ સિદ્ધ અવસ્થાનું ક્ષાયિક ચારિત્ર છે. કેવળજ્ઞાનના સાધનભૂત ક્રિયાયોગ સિદ્ધ અવસ્થામાં આત્માનો સ્વભાવ બની જાય છે, એવું જણાવી ગ્રંથકારશ્રીએ શ્રેષ્ઠ ક્રિયાયોગનું સ્વરૂપ પ્રદર્શિત કર્યું છે. તેઓશ્રીની આ એક અનોખી શૈલી રહી છે કે, જ્યારે જ્યારે તેઓ વસ્તુનું વર્ણન કરે ત્યારે પ્રથમ તો તેઓ શ્રેષ્ઠ કક્ષાના જ તે પદાર્થોને દર્શાવે છે. જેમ પ્રથમ અધિકારમાં તેઓશ્રીએ પ્રથમ શ્રેષ્ઠ કોટિના અધ્યાત્મનું વર્ણન કરેલું. જ્ઞાનયોગનું આલેખન કરતાં પણ સૌ પ્રથમ શ્રેષ્ઠ કક્ષાના જ્ઞાનયોગને જણાવેલ. તે જ પદ્ધતિ અનુસાર આ અધિકારના પ્રારંભમાં શ્રેષ્ઠ કોટિનો ક્રિયાયોગ વર્ણવ્યો છે. આમ છતાં એટલું ધ્યાનમાં રાખવું કે જ્ઞાનયોગની જેમ ક્રિયાયોગ પણ વિવિધ પ્રકારનો હોય છે. હકીકતમાં તે બન્ને પરસ્પર એકબીજાના કાર્ય પણ બને છે અને એકબીજાના કા૨ણ પણ છે. આમ પરસ્પરના જન્મ-જનકરૂપે અધ્યાત્મની પ્રારંભદશાથી છેક ચૌદમાં ગુણસ્થાનક સુધી બન્ને એકબીજાથી સંવલિત જ જોવા મળે છે3. આમ કરતાં કરતાં જ્યારે બન્ને શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે છે ત્યારે તો જ્ઞાનયોગ અને ક્રિયાયોગની વચ્ચે કોઈ ભેદ જ રહેતો નથી. બન્ને સ્વરૂપતઃ ભિન્ન હોવા છતાં જળ અને જળ૨સની જેમ આત્માના સ્વભાવરૂપે એકરૂપ બની જાય છે. ।।૧।। અવતરણિકા : ‘ક્રિયાયોગ એ આત્માનું સ્વાભાવિક લક્ષણ છે' તે જણાવી હવે પૂર્વ શ્લોકના કથનને આગમની સાક્ષી દ્વારા પુષ્ટ કરે છે શ્લોક : શબ્દાર્થ : १/२ अत एव આથી કરીને જ રૂ. સોમિસ્ત્ર, - સોમિલના પ્રશ્નનો ઉત્તર આપતાં ૪. ભગવાન્ - ભગવાને ૬. સત્તપોનિયમાવિષુ - સમ્યગ્ તપ, નિયમાદિના વિષયમાં ૬/૭. નિષ્ટિાતામ્ યતનાં - નિશ્ચિત યતનાને = નિશ્ચયનયને અનુસરનારી યતનાને ૮/૧. સ્વસ્ય યાત્રાં - પોતાની યાત્રા ૧૦. નૌ - કહી. ૩. તુલના : ૧૪૯ ५ ગત પૂર્વ ના" યામાં સત્તપોનિયાતિપુ | . यतनां ँ सोमिलप्र ने, भगवान् स्वस्य निष्चिताम् ॥२॥ - 2. પારિત્ર સ્થિરતાપમતઃ સિદ્ધપીષ્યતે । યતત્તાં યતયોઽવશ્ય-મસ્યા વ પ્રસિષ્ક્રય ।।૨/૮|| જ્ઞાનસારે || ચારિત્ર આત્મભાવમાં સ્થિરતારૂપ છે, એથી સિદ્ધોમાં પણ ચારિત્ર મનાય છે, (તેથી) યતિઓએ આની જ (આત્મભાવમાં સ્થિરતાની જ) સિદ્ધિ માટે અવશ્ય યત્ન કરવો જોઈએ. Jain Education International ભગવદ્ગીતા અ-૫, શ્લોક-૫ : यत्साङ्ख्यैः प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते । एकं साङ्ख्यं च योगं च यः पश्यति स पश्यति ।। સાંખ્ય = જ્ઞાન અને યોગ = ક્રિયા, ભગવદ્ગીતામાં પણ જણાવ્યું છે કે જ્ઞાન અને ક્રિયાને જે એકરૂપે જુવે છે તે જ વાસ્તવમાં જુવે છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005562
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorKirtiyashsuri
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy