SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર કેળવાયેલા અંધમાં દૃષ્ટિના અભાવમાં પણ પ્રત્યેક વ્યવહારો કઈ રીતે કરવા કે દરેક પદાર્થોને કઈ રીતે ઓળખવા તેની એક અનોખી સઝ હોય છે. તેથી તે ઘણો ખરો વ્યવહાર દેખતા માણસ જેવો જ કરી શકે છે. આમ છતાં તેને પણ આંખોની અપેક્ષા તો રહે જ છે. ચક્ષુ પ્રાપ્ત થવાની જ્યાં થોડી પણ સંભાવના જણાય ત્યાં તેનો ચહ્યું મેળવવા માટેનો પ્રયત્ન ચાલુ જ હોય છે. તે સમજે છે કે કેળવણી અને અનુભવના આધારે મારો વ્યવહાર ગમે તેટલો સારી રીતે ચાલતો હોય તોપણ સાક્ષાત્ ચક્ષુ દ્વારા પદાર્થનું દર્શન કરીને જે વ્યવહાર થાય અને એમાં જે તૃપ્તિ, નિઃશંકતા, અને નિશ્ચિતતાનો અનુભવ થાય તે અંધાપામાં તો શક્ય નથી જ. કેળવણી વગરના અણધડ કે અસદ્ધ માં આંખોના અભાવમાં સ્પર્શ કે ગંધથી કેવી રીતે વ્યવહાર ચલાવવો તેની સૂઝ હોતી નથી આવી જ રીતે, કેવળજ્ઞાનરૂપી ચક્ષુ વિનાના અંધ સમાન છદ્મસ્થ જીવો પણ બે પ્રકારના હોય છે. તેમાં જેની પાસે આગમનો આધાર નથી અને જેઓ માત્ર તર્કના આધારે આત્મા વગેરે અતીન્દ્રિય પદાર્થનો બોધ કરવા પ્રયત્ન કરે છે તે અણધડ કે અસદ્દઅંધ જેવા હોય છે, તેઓ કદી પણ અતીન્દ્રિય પદાર્થનો બોધ કરી શકતા નથી. જ્યારે શાસ્ત્રજ્ઞાનીનો વ્યવહાર કેળવાયેલા અંધ (સદ્અંધ) જેવો હોય છે. તેઓ આગમનું અવલંબન લઈ કેળવાયેલા અંધની જેમ ઘણો સારો વ્યવહાર કરી શકે છે. આમ છતાં જેમ અંધની પણ એક મર્યાદા હોય છે તેમ છેક ચૌદ પૂર્વના શ્રુતજ્ઞાની છબસ્થોની પણ એક મર્યાદા હોય છે. કેવળજ્ઞાન વિનાનો છબસ્થ સાધક પણ શાસ્ત્રજ્ઞાનના આધારે જાણે છે કે, “હું આત્મા છું, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત છું અને પરમસુખનો સ્વામી છું, પણ કર્મના આવરણના કારણે આજે મારા ગુણો ઢંકાયેલા છે. મારું સુખ અવરાયેલું છે. આમ છતાં યોગમાર્ગની સાધના દ્વારા હું કર્મને દૂર કરી મારા ગુણોને અને સુખને જરૂર પામી શકું તેમ છું.” આવું જાણી છદ્મસ્થ સાધક પણ શાસ્ત્રના આધારે પોતાના શુદ્ધ સ્વરૂપને પામવા યથાયોગ્ય વ્યવહાર કરી આત્મિક સુખનું કંઈક સંવેદન કરી શકે છે, તો પણ કેવળજ્ઞાન વિના આત્માનું દર્શન થતું નથી. સુખમય આત્માનો સાક્ષાત્કાર થતો નથી, તેથી અન્ય ઇન્દ્રિયો દ્વારા વ્યવહાર ચલાવતા અંધને જેમ આંખોની અપેક્ષા રહે જ છે તેમ શાસ્ત્રના આધારે સાધનામાર્ગે આગળ વધતાં સાધકને પણ કેવળજ્ઞાનની અપેક્ષા રહે જ છે. અતીન્દ્રિય પદાર્થના વિષયમાં કેવળજ્ઞાની જ દેખતા માણસ જેવો વ્યવહાર કરી શકે. આટલી વાત જો સમજાય તો આગમ અને ઉપપત્તિરૂપ દૃષ્ટિ પ્રાપ્ત થવા છતાં પણ કેવળજ્ઞાનની અપેક્ષા કેમ રહે તે ખ્યાલમાં આવી જશે. આના ઉપરથી એટલું નક્કી કરી શકાય કે પૂર્વ શ્લોકમાં અતીન્દ્રિય પદાર્થનો બોધ કરવા આગમ અને ઉપપત્તિ પ્રમાણને સંપૂર્ણ દૃષ્ટિરૂપ કહ્યાં તે અતીન્દ્રિય પદાર્થોના અસ્તિત્વનો સ્વીકાર કે તેના સ્વરૂપનો નિર્ણય કરવાની અપેક્ષાએ કહ્યું છે; પરંતુ આત્મસાક્ષાત્કારની અપેક્ષાએ નહિ. તેથી આત્માદિ તત્ત્વનો જેને અનુભવ કરવો હોય તેણે સૌ પ્રથમ શાસ્ત્રાભ્યાસ કરવો જોઈએ, ત્યારપછી શાસ્ત્રાનુસારી યુક્તિનું જોડાણ કરીને શાસ્ત્રમાં બતાવેલા અનુષ્ઠાનો આદરવા જોઈએ. જેમ જેમ આ માર્ગે આગળ વધતાં જવાય તેમ તેમ આત્માદિ તત્ત્વનો “અનુભવ” થવાની શરૂઆત થાય અને કેવળજ્ઞાન થતાં તેનો પૂર્ણ સાક્ષાત્કાર થઈ શકે. ./૧૦ll 1. आगमेनानुमानेन, योगाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन्प्रज्ञां, लभते तत्त्वमुत्तमम् ।।१०१।। - યોટિસમુથ્વયે | અહીં પૂ. મહામહોપાધ્યાયજી ભગવંતે આગમ અને અનુમાન દ્વારા આત્માદિ તત્ત્વનો બોધ થશે તેમ જણાવ્યું છે અને પૂ. હરીભદ્રસૂરી મ.સા. એ “યોગદૃષ્ટિ સમુચ્ચયમાં આત્માદિ ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ માટે આગમ, અનુમાન અને યોગાભ્યાસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005561
Book TitleAdhyatma Upnishad Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorKirtiyashsuri
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy