________________
નયોનું સ્વરૂપ - પરિશિષ્ટ-૧
૧૮૩ માટી રહેલી છે માટે માટી સામાન્ય અને તેમાંથી બનેલી દરેક વસ્તુ વિશેષ છે. આથી માટીની અપેક્ષાએ ઘટ વિશેષ છે. ઘટના પણ અનેક પ્રકારો હોય છે. જુદા જુદા પ્રકારના ઘટની અપેક્ષાએ ઘટ એ સામાન્ય છે અને જુદા જુદા પ્રકારના ઘટ વિશેષ છે. આમ દરેક વસ્તુ અપેક્ષાભેદથી સામાન્ય-વિશેષસ્વરૂપ છે.
નૈગમનય સામાન્ય વિશેષ ઉભયને અવલંબે છે, પણ તેનો આધાર લોકરૂઢિ છે. નૈગમનય લોકરૂઢિ પ્રમાણે ક્યારેક સામાન્યને અવલંબે છે તો ક્યારેક વિશેષને અવલંબે છે. જેમકે, ભારતમાં અમદાવાદની અમુક પોળમાં અમુક નંબરના ઘરમાં રહેતા ચંદ્રકાંતને જ્યારે જ્યારે અન્ય અજાણ વ્યક્તિ તમે ક્યાં રહો છો ?” એ પ્રશ્ન પૂછે છે ત્યારે ત્યારે તે એક સરખો ઉત્તર આપતો નથી, કિન્તુ ભિન્ન ભિન્ન ઉત્તર આપે છે. જ્યારે તે અમેરિકામાં હોય ત્યારે જો કોઈ તેને “તમે ક્યાં રહો છો ?' એમ પૂછે તો તે કહે છે કે “હું ભારતમાં રહું છું.”
જ્યારે તે ભારતમાં મહારાષ્ટ્ર આદિ દેશમાં હોય ત્યારે તે “હું ગુજરાતમાં રહું છું.” એમ ઉત્તર આપે છે. ક્યારેક તે “અમદાવાદમાં રહું છું.” એમ ઉત્તર આપે છે. ક્યારેક “અમુક પોળમાં અમુક નંબરના ઘરમાં રહું છું' એમ ઉત્તર આપે છે. અહીં પ્રશ્ન એક જ છે. તેના જવાબો અનેક છે. દરેક જવાબ સત્ય છે એમ નૈગમન કહે છે. અહીં અમેરિકા, રશિયા વગેરે દેશોની અપેક્ષાએ ભારત વિશેષ છે, પણ ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર આદિ ભાગોની અપેક્ષાએ ભારત સામાન્ય છે. ભારતની અપેક્ષાએ ગુજરાત વિશેષ છે. પણ ગુજરાતના કચ્છકાઠિયાવાડ વગેરે ભાગોની અપેક્ષાએ ગુજરાત સામાન્ય છે. નૈગમનય સામાન્ય વિશેષ ઉભયને ગ્રહણ કરે છે.
૨. સંગ્રહનય :- જે નય સર્વ વિશેષોનો એક રૂપે=સામાન્યરૂપે સંગ્રહ કરી લે તે સંગ્રહનય. દરેક વસ્તુ અપેક્ષાભેદથી સામાન્ય અને વિશેષ એમ ઉભયરૂપ છે એમ આપણે જોયું. આથી દરેક વસ્તુમાં સામાન્ય અંશ અને વિશેષ અંશ બન્ને રહે છે. સંગ્રહનય સામાન્ય અંશને ગ્રહણ કરે છે. તે કહે છે કે સામાન્ય વિના વિશેષ રહી શકે જ નહિ. સામાન્ય વિના વિશેષ આકાશ કુસુમવત્ અસતું જ છે. સામાન્ય વનસ્પતિ વિના વિશેષ લીમડો હોઈ શકે જ નહિ. આથી જ્યાં જ્યાં વિશેષ છે ત્યાં ત્યાં સામાન્ય અવશ્ય હોય છે. આથી સંગ્રહનય દરેક વસ્તુની ઓળખાણ સામાન્યરૂપે આપે છે. એની દૃષ્ટિ સામાન્ય તરફ જ જાય છે.
આથી આ નયની દૃષ્ટિ વિશાળ છે. તે સર્વ વિશેષોનો સામાન્યથી એકરૂપે સંગ્રહ કરી લે છે. જેમકે ચેતન અને જડ એ બંને પદાર્થો જુદા છે, પણ આ નય તે બંનેને એકરૂપે સંગ્રહી લે છે. જડ અને ચેતન એ બંને પદાર્થો સત્ છે. સત્ તરીકે બંને સમાન છે=એક છે. પ્રત્યેક જીવ ભિન્ન ભિન્ન હોવા છતાં આ નય સર્વ જીવોને ચૈતન્યથી એકરૂપે માને છે. કારણ કે દરેકમાં ચૈતન્ય સમાન એક છે. સાડી, શર્ટ, બ્લાઉઝ, ધોતિયું વગેરે અનેક પ્રકારની વ
રની વસ્તુને કાપડ કહીને એકરૂપ માને છે. આમ આ નય સામાન્ય અંશને ગ્રહણ કરે છે. સામાન્ય અંશમાં અનેક તરતમતા હોય છે. આથી સંગ્રહનયના દરેક દૃષ્ટાંતમાં પણ તરતમતા રહેવાની. સામાન્ય અંશ જેટલો વિશાળ તેટલો સંગ્રહનય વિશાળ. સામાન્ય અંશ જેટલો સંક્ષિપ્ત તેટલો સંગ્રહનય
૩. વ્યવહારનય : જે નય વિશેષ તરફ દૃષ્ટિ કરીને દરેક વસ્તુને જુદી જુદી માને તે વ્યવહારનય. આ નય કહે છે કે, વિશેષ સામાન્યથી જુદું નથી એ વાત સાચી, પણ વિશેષ વિના વ્યવહાર ન ચાલી શકે. શું ‘વનસ્પતિ લાવ” એટલું કહેવા માત્રથી લાવનાર વ્યક્તિને મુંઝવણ નહીં થાય કે કઈ વનસ્પતિ લાવવી. તેથી અહીં તમારે કહેવું જ પડશે કે “અમુક વનસ્પતિ લાવ.' આમ કહેવાથી તે જોઈતી વસ્તુ લાવી શકે છે. વિશેષને માન્યા સિવાય વ્યવહાર ચાલે જ નહિ, આથી વ્યવહારનય વિશેષ અંશને માને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org