________________
મારી ઈચ્છા પુરી કરો. તેમાં તમારું કાંઈ બગડી જવાનું નથી, વધારે શું લખું.”
(પત્રાંક : ૭)
*
*
‘કે આવા પ્રતાપી પુરુષ અને તેનો જગતને કાંઈ પ્રભાવ જોવામાં આવે નહી, એ એક આશ્ચર્ય જેવું છે.”
(પત્રાંક : ૧૨)
‘આપનો કૃપાપત્ર રવીવારનો લખેલ ગઈકાલે આવ્યો. જેમાં અપૂર્વ વાણીથી વિગત લખી તે વાંચી જીવને ઘણો જ આનંદ થયો છે અને એ જ કાગળ વાંચતા મનમાં એમ થઈ આવે કે આ લયરૂપ સંસારમાંથી કયારે છુટાય. વળી તેના રેશ (રહસ્ય)અને મરમ (મર્મ)વિચારીએ છીએ તો અદ્ભુત આશ્ચર્યકારક વાણી લાગે છે. એવી વાણીનો બોધ વખતોવખત કરવા કૃપા કરશો.”
(પત્રાંક : ૧૬)
‘રાત્રે કેટલીક વખત બે ત્રણ વાસાનો તાવ આવી જાય છે. આંખે આગળ કરતા ઠીક છે પણ ઝંખાશ વર્તાય છે. આમ શરીરની ચેષ્ટાથી એક માલા (માળા)લીધી છે અને રાત દિવસ આપનું સ્મરણ કર્યા કરું છું. મનમાં એમ પણ થાય છે કે શરીરમાં નબળાઈ આવતી જાય છે તો હવે આવખાંની (આયુષ્યની)સ્થીતી (સ્થિતિ) લાંબી હસે નહીં, તેનો તો મનમાં ખેદ કાંઈ નથી. પણ જેટલો વિજોગ છે એ મનમાં ખેદ રહ્યા કરે છે.”
(પત્રાંક : ૨૭)
Jain Education International
For Persos & Private Use Only
www.jainelibrary.org