________________
પૂ. શ્રી સોભાગભાઈના ઉદ્દગાર વચનો
પોતાને મન જેઓ પરમ ઈષ્ટ અને સૌથી વલ્લભ છે, આવા પરમકૃપાળુ દેવને પ.પૂ. સોભાગભાઈ નિયમિત પણે પત્રો લખતા. તે પત્રોમાં શ્રીમજી પ્રત્યેની એકનિષ્ઠા, ઉત્કૃષ્ટ પૂજ્યભાવ, વિરહની વેદના, આર્થિક પરિસ્થિતિનો ખેદ, પ્રગટમાર્ગ પ્રવર્તાવવા માટેની વિનંતી, શાસ્ત્ર સમજ, તેમજ અંતરનો અનુભવ આવા અનેક ભાવો વ્યકત થતા. તે પત્રોમાંના થોડા વચનો જે શ્રીમદ્જી પ્રત્યેનો અહોભાવ પ્રગટ કરે છે તે અહીં દર્શાવ્યા છે.
‘આપની સમર્થાઈ (સમર્થતા)અદ્ભુત છે તે વિષે કાંઈ લખી શકતો નથી. જાણે છે તે જાણે છે ને જાણે છે તે માણે છે.”
(પત્રાંક : ૫)
*
*
‘ખીલાથી વળગ્યો રહે તો વાળ વાંકો ન થાય’ તો મારે એમ જ છે. આ તો જીવને આનંદ લેવો કોઈ વખત પરશન (પ્રશ્નોઈઆદ (યાદ)આવે તો લખું છું. તે ફકત જાણવા સારું, બાકી બીજું કાંઈ નથી. જાણવું તું તે તો જાણ્યું. હવે જાણવું રહુ નઈ (રહ્યું નહીં)કાં તો આપ જેવાને સાક્ષાત જાણા છે (જાણ્યા છે)તો બીજી પરવા નથી. જેમ ગોપીયુએ (ગોપીઓએ)ઓધવજીને કશું કહ્યું)હતું કે, તમારા ગનાનમાં (જ્ઞાનમાં)અમે કાંઈ સમજતાં નથી ને અમારે ગનાન (જ્ઞાન)જોતું જોઈતું)નથી તેમ છે. હવે આપની ઈચ્છા હોય તેમ કરો. ગમે તો સમાગમમાં રાખો ગમે તો દૂર રાખો પણ એક ભજન રાત દિવસ મારે તો આપનું છે. માટે કીરપા (કૃપા)કરી
Jain Education International
For PersonaRrivate Use Only
www.jainelibrary.org