________________
‘ગનાની (જ્ઞાની)પુરુષ પ્રવના (પૂર્વના)ઉદે (ઉદય)ભાવથી અગનાની (અજ્ઞાની)માફક વર્તતા હોય તેને કેઆ (કયા)લક્ષણથી ગનાની (જ્ઞાની)જાણવા લખુ (લખ્યું તો જો પુરવનું (પૂર્વનું)ઉપાર્જનનું બળ હોય અને ગનાની (જ્ઞાની પુરુષનોસમાગમ હોય તો તે પુરુષને ગનાનીની (જ્ઞાનીની અવિરોધ વાણીની પરીક્ષા થાય. વળી જ્ઞાની પુરુષનાં નેણ વૈરાગ્યથી સમપુરણ ભરેલાની પરીક્ષા થાય. એ બે પરિક્ષા જેને થઈ છે તેને સંદેહ ઉપજવાનું કારણ નથી. જ્ઞાની પુરુષને કાંઈ ચાર હાથ વગેરે નિશાની હોતી નથી. જેવી માણસની ચેષ્ટા હોય છે, તેવી જ હોય છે. આજ અને ઐઆ (ગયા)કાળમાં જે ગનાની પ્રત્યક્ષ છે તેનું માતમ વાગજાળથી થઈ ગયેલા ગનાનીનું જાણે છે તેવું તેવું જણાતું નથી. એ જ મોહનીય કરમનું બળ છે પણ જો પ્રત્યેક્ષ ગનાનીનું માતમ (મહાભ્ય)જેમ થઈ ગયેલા ગનાનીનું સમજે છે, તેમજ જો આ જીવ સમજે તો સુગમમાં સુગમ તરવાનો ઉપાય એ છે તે સિવાય બીજો ઉપાય મને તો દેખાતો નથી.”
‘ગનાની વિષે વિચાર કરતા ઓછી બુદ્ધિથી ચાલી શકે નહીં. તેમ કોઈ બતાવનાર નહીં તેથી બુદ્ધિ થાકી ગઈ. મનની દોડ બધી ઘણી ખરી ઓછી પડી ગઈ છે. છેવટ એક વિચાર નકકી કર્યો કે રાત દિવસ સહજાત્મસ્વરૂપનું સ્મરણ કરું છું ને તુંહી તુંહી બીજાનું કાંઈ જરૂર નથી. આપની ભકિત કરું છું હવે આપની મરજી પ્રમાણે કરશો. એજ વિનંતિ. ભાઈ શ્રી રેવાશંકરભાઈને પ્રણામ કેશો.”
(પત્રાંક : ૨૮)
*
*
‘આત્મસિધ્ધિ ગ્રંથ ચૌદ પૂર્વનું સાર હોય તેવો જણાય છે. અને હું તથા ગોશળીઓ નીત વાંચીએ છીએ ઘણો આનંદ થાય છે. ફરી બીજા ગ્રંથની માગણી કરીએ તેવું રહ્યું નથી.”
(પત્રાંક : ૩૩)
*
*
Jain Education International
For Personal & Private Use Only
૨૯
www.jainelibrary.org