________________
(૧૦૫) હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. ..૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ ? ...૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી; આપતણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહીં. ...૩ જોગ નથી સત્સંગનો, નથી સસેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ....૪ હું પામર શું કરી શકું ? એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ...૫ અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ને મળે પરમ પ્રભાવ. ..૬ અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ...૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દેઢ ભાન; સમજ નહીં નિજધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ...૮ કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદા ધર્મ તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ...૯ સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથી ત્યાગ; દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ...૧૦
૭ર)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org