________________
તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહી; નહિ ઉદાસ અનભકતથી, તેમ ગૃહાદિક માંહીં. ...૧૧ અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ...૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સગુણ પણ, મુખ બતાવું શું ? ...૧૩ કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ...૧૪ અનંતકાળથી આથડડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન....૧૫ સંતચરણ આશ્રય વિના, સાધન કર્યો અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક...૧૬ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ? ...૧૭
પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ? ...૧૮
અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ...૧૯ પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ. ...૨૦
*
*
*
૭૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org