SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સાધના કરે, તે ઋજુસૂત્ર નયે અપવાદ ભાવસેવા કહેવામાં આવે છે. આ આત્મસાધનારૂપ ઉત્સર્ગભાવ સેવા તેનું કારણપણું છે, તેથી એ અપવાદ ભાવસેવા કહી. ૪ શબ્દે શુકલ ધ્યાનારોહણ, સમભિરૂઢ ગુણ દશમેજી; બીએ શુકલ અવિકલ્પ એકત્વે, એવંભૂત તે અમમેજી. - શ્રી. પ (૫) હવે શ્રી પ્રભુરૂપ શુદ્ઘ દ્રવ્યને આલંબીને જે જીવ-ભાવમુનિ તત્ત્વ રુચિ થઈ દર્શન-જ્ઞાન- ચારિત્ર એ રત્નત્રયીમયી પરિણમીને જે પૃથકત્વ વિતર્ક સપ્રવિચારરૂપ શુકલ ધ્યાનપણે પરિણમ્યો ત્યારે એ જીવ શબ્દનયે ભાવસેવનાવંત થયો. સાધકના ગુણ તે સર્વ પ્રભુગુણથી એકત્વ થઈ સ્વરૂપ એકત્વતા પામ્યા, શુકલ ધ્યાનની શુદ્ધતાએ પરિણમ્યા ત્યારે શબ્દનયથી અપવાદ ભાવ સેવના કહીએ. અહીં નિમિત્તપૂર્વક મંડાણ છે, તે માટે અપવાદે ભાવસેવા કહી. (૬) જ્યારે જીવ દશમે સૂક્ષ્મસંપ૨ાય ગુણઠાણે આવે ત્યારે તે શુકલ ધ્યાનના પ્રથમ પાયાના અંતે પહોંચ્યો, પરમ નિર્મલ ભાવને પામ્યો, ત્યાં જેટલી આત્મગુણની સાધના કરતાં યોગવીર્યની સહાયે સાધકતા થાય, તે સર્વ અપવાદે છે, અને ઉત્સર્ગ માર્ગે તો યોગ ધર્મ પણ આત્માને તજવા યોગ્ય છે. જેટલું કારણરૂપ લઈએ તે સર્વ અપવાદ ભાવ સેવા છે માટે દશમે ગુણઠાણે સમભિ રૂઢ નયે અપવાદ ભાવસેવા છે, એ પણ સાધકતા સાધન છે. (૭) જ્યારે જીવ શુક્લ ધ્યાનને બીજે પાયે એકત્વવિતર્ક અપ્રવિચાર રૂપે ચડે ત્યારે ભાવમુનિ રૂપે નિર્વિકલ્પ સમાધિને પામે. સ્વરૂપ એકત્વે પરિણમે ત્યારે સાધનાનું પૂર્ણપણું થયું કહેવાય. તે માટે એવંભૂત નય સેવના થઈ. તો અહીં પ્રશ્ન થાય કે અયોગી ગુણઠાણા સુધી સાધના છે, તો અહીં ક્ષીણમોહ ગુણસ્થાને સેવનાનો એવંભૂત કેમ કહો છો ? તેનું ૮૬ Jain Education International વીર-રાજપથદર્શિની - ૨ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy