SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ જે અનંત ગુણમય પ્રભુતા છે તે પ્રગટે છે. ખરેખર દેવોમાં ચંદ્ર સમાન શ્રી અરિહંત ભગવંતની ભક્તિ-પ્રીતિ જ મને અવિચલ-કાયમ રહે તેવી સ્થિતિ એટલે કે મોક્ષપદ રૂપી સુખ આપનાર છે. →*** શ્રી અજિતનાથ જિન સ્તવન જ્ઞાનાદિક ગુણ સંપદા રે, તુજ અનંત અપાર; તે સાંભળતા ઉપની રે, રુચિ તેણે પાર ઉતાર. અજિત જિન તારજો રે, તારજો દીન દયાળ. ... અજિત. ૧ હે ભગવાન ! આપની પાસે જ્ઞાનાદિક ગુણોની સંપત્તિ અનંત અને પાર ન પામી શકાય તેટલી છે. તેની વાત અનુભવી પાસેથી સાંભળતા મને પણ તે સંપત્તિ-આત્મલક્ષ્મીને પ્રાપ્ત કરવાની રુચિ ઉત્પન્ન થઈ છે. માટે હે દીન પર કૃપા કરવાવાળા અજિતનાથ ભગવાન-અરિહંતદેવ ! મને પણ આ સંસાર સાગરથી પાર ઉતારો એમ માંગું છું. જે જે કારણ જેહનું રે, સામગ્રી સંયોગ; મળતાં કારજ નીપજે રે, કર્તા તણે પ્રયોગ. ... અજિત. ૨ સાચી વાત તો એ છે કે જે કાર્ય કરવા માટે જે કારણ હોય અને બીજી પણ ઉપયોગી સામગ્રી હોય તે મળી જાય તો કર્તા દ્વારા પ્રયત્ન કરવાથી, – પુરુષાર્થ કરવાથી કાર્ય થાય છે. કાર્ય સિદ્ધિ કરતા વશુ રે, લહી કારણ સંયોગ; નિજ પદ કારક પ્રભુ મિલ્યા રે, હોયે નિમિત્તહ ભોગ.... અજિત. ૩ કાર્યની સિદ્ધિ કર્તાને આધિન છે, પણ તે સાથે જરૂરી સાધન સામગ્રીનો સંયોગ જરૂરી છે. નિજપદની પૂર્ણતા કરાવી શકે એટલે કે મોક્ષ અપાવી શકે તેવા પ્રભુનું (અરિહંતનું) પુષ્ટ નિમિત્ત મળવાથી શ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચોવીસી Jain Education International For Personal & Private Use Only ૬૧ www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy