SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ હે પ્રભુ અમે તો રાગથી ભરેલા છીએ એટલે પ્રીત કેમ કરી શકીએ. કારણ કે આપ તો વીતરાગ-સંપૂર્ણ રાગ-દ્વેષ રહિત થઈ ગયા છો ! તેથી વીતરાગી સાથે પ્રીતિ કેમ કરીને થઈ શકે ? એટલે જો પ્રભુ આપની સાથે પ્રીત કરવી હોય તો તે લૌકીકમાર્ગ નથી પણ લોકોત્તર માર્ગ છે, તે વડે થઈ શકે. પ્રીતિ અનાદિથી વિષભરી, તે રીતે હો કરવા મુજ ભાવ; કરવી નિર્વિષ પ્રીતડી, કિણ ભાંતે હો કહો બને બનાવ. ઋષભ. ૪ હે ભગવાન મારી જે અનાદિથી પ્રીત કરવાની રીત છે તે ઝેરથી ભરેલી છે. કારણ તેના પાછળ રાગ રહેલ છે. તે રીતે તો આપની સાથે પ્રીતિ કરી શકું પણ આપની સાથેની પ્રીતિ તો નિર્વિષ હોવી જોઇએ. પણ તે કઈ રીતે બની શકે ? તે મને હે જ્ઞાની પુરુષ કહો. પ્રીતિ અનંતી પર થકી, જે પરમ પુરુષથી ‘રાગતા, એકત્વતા ... તોડે હો તે જોડે એહ; . હો દાખી ગુણ ગેહ. ઋષભ. પ Go આ કડીમાં પ્રભુ સાથે પ્રીતિ કેમ કરવી તે બતાવેલ છે. ૫૨ વ્યક્તિ કે પર પદાર્થો સાથે જે અનંત પ્રકારે પ્રીતિ કરી રહ્યા છીએ, તેને જે સાધક તોડી શકે તે જ પરમ પુરુષ પરમાત્માની સાથે પ્રીતિ જોડી શકે છે. ભગવાન સાથે પ્રીતિ રાગરૂપ હોવા છતાં જે કરવી સાધક માટે જરૂરી છે. કારણ કે તે પ્રીતિ જ આત્મિક ગુણસંપત્તિનું ઘર છે. અને એ સાધક, પરમેશ્વર જે ગુણનું જ ઘર છે તેના જેવો થાય. Jain Education International પ્રભુજીને અવલંબતા, નિજ઼ પ્રભુતા હો પ્રગટે ગુણરાશ; દેવચંદ્રની સેવના, આપે મુજ હો અવિચળ સુખવાસ. ઋષભ. ૭ આ પ્રમાણે પ્રભુજીનું (પ્રત્યક્ષ સત્પુરુષનું) અવલંબન લેવાથી પોતાની વીર-રાજપથદર્શિની - ૨ ... For Personal & Private Use Only ... www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy