SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ જ અર્થ : હે પાર્શ્વનાથ ભગવાન, તું તો ધ્રુવપદ એટલે કે અચળ $ પદમાં રમનારો મારો સ્વામી છે, નિષ્કામી છે, ગુણનો રાજા છે હું અને સદ્જ્ઞાની છે. પોતાના ગુણ એટલે સ્વભાવના ઇચ્છુક એવા સેવક આપ જેવા ધણીને પામીને, તે સ્વભાવ પ્રાપ્ત કરી, કાયમ અવિનાશી-સ્થિર આરામમાં આનંદ કરે છે. સર્વ વ્યાપી કહો સર્વ જાળંગપણે, પરપરિણમન સરૂપ, સુજ્ઞાની; પરરૂપે કરી તત્ત્વપણું નહીં, સ્વસત્તા ચિરૂપ, સુજ્ઞાની. ૨ અર્થ આપ સર્વને જાણી રહ્યા છો તેથી સર્વવ્યાપી કહેવાઓ છો. પરવસ્તુઓની પરિણતિ પણ આપ જાણી રહ્યા છો. આ સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, તેજસ દેહ, ઇન્દ્રિયો અને મન એ બધાના વ્યાપારો પણ જાણી રહ્યા છો. પરંતુ આ બધી પર વસ્તુઓ છે. એમાં કાંઈ તત્ત્વ છે હું નથી. એ તો પોતાના આત્માની સત્તા જે ચિરૂપ છે, જાણવાવાળી છે, જે તેનાથી જણાય છે. • શેય અનેક હો જ્ઞાન અનેકતા, જલભાજન રવિ જેમ, સુજ્ઞાની; દ્રવ્ય એકત્વપણે ગુણ એકતા, નિજપદ રમતા હો ખેમ, સુજ્ઞાની. ૩ ; અર્થ: શેય-અનેક ઘણા છે તેથી જ્ઞાનનું અનેકપણું જણાય છે. જેવી $ રીતે જળનાં ઘણાં કુંડાં ભર્યા હોય, તો બધા કુંડાંમાં સૂર્ય દેખાય પણ હું ખરેખર તો સૂર્ય એક જ છે. તેવી જ રીતે આત્માની શક્તિ એવી છે છે કે જે સામે આવે તેનું પ્રતિબિંબ પડે છે. જેમ અરિસામાં પ્રતિબિંબ પડે શું છે તેમ. આત્મા દ્રવ્યથી તો એક જ છે. જેમ સૂર્ય એક છે તેમ. પણ આત્મા કેવો છે ? પોતાના સ્વભાવમાં રમતો હોય તેવો કુશળ એટલે કે સુખી છે. પરક્ષેત્રેગત શેયને જાણવે, પરક્ષેત્રે થયું જ્ઞાન, સુજ્ઞાની; અસ્તિપણે નિજ ક્ષેત્રે તમે કહ્યું, નિર્મળતા ગુણમાન, સુજ્ઞાની. ૪ * શ્રી આનંદઘનજીની ચોવીસી ૪૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy