SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ : કોઈ એક શેયને આપણો આત્મા જાણે ત્યારે તેનું જ્ઞાન કે શું પરક્ષેત્રે થયું કહેવાય. પરંતુ પોતાના જ્ઞાનગુણનું હોવાપણું તો પોતાના છે ક્ષેત્રની અંદર જ રહ્યું છે. આત્માના નિર્મળતા નામના ગુણને લીધે દેખાય છે. શેય વિનાશે હો જ્ઞાન વિનશ્વવું, કાળ પ્રમાણે રે થાય, સુજ્ઞાની; સ્વકાળે કરી સ્વસત્તા સદા, તે પર રીતે ન જાય, સુજ્ઞાની. ૫ રે અર્થ જોય આપણે જોયું તે જ્ઞાનથી જોવાય છે. એટલે એ શેયનો નાશ થાય ત્યારે આપણે એ જ્ઞાન કાળને અનુસરી જાય છે. પણ સ્વકાળ એટલે પોતાના પર્યાય અને પોતાની સત્તા તો સદાય રહે ? છે. એ પર રીતે ક્યારેય જતી નથી. પરભાવે કરી પરતા પામતા, સ્વસત્તા થિર ઠાણ, સુજ્ઞાની; આત્મ ચતુષ્કમયી પરમાં નહીં, તો કિમ સહુનો રે જાણ, સુશાની. ૧ અર્થ : જ્યારે આપણને પરભાવ આવે ત્યારે આપણે પરરૂપ થઈ જઈએ છીએ. પણ આપણો ભાવ તો આપણામાં સ્થિર હોય છે. આ છે આત્માની ચાર ચીજ-સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ-પરમાં શું નથી. તો પણ બધાં પરને કેમ જાણે છે ? માત્ર જ્ઞાન ગુણ વડે જાણે છે છે. કેમ કે જાણવું એ આત્માનો સ્વભાવ છે. અગુરુલઘુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકલ દેખત, સુજ્ઞાની; સાધારણ ગુણની સાધર્યતા, દર્પણ જલને દષ્ટાંત, સુજ્ઞાની. ૭ અર્થ આત્માનો અગુરુલઘુપણાનો ગુણ એવો છે કે એનાથી બધા શું પર દ્રવ્યના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જણાય એ ગુણ સર્વ સામાન્ય છે શું છે. આનંદઘનજી મહારાજ કહે છે કે એ ગુણને લીધે દર્પણ અને જળની છું જેમ પર વસ્તુઓ દેખાય છે. આત્માનો સાધારણ ગુણ એવો છે કે તેમાં શું છે પરવસ્તુઓ દેખાય. No. વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy