SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જ ૧૫. શ્રી ધર્મનાથ સ્વામી [ ધર્મ જિનેસર ગાઉં રંગશું, ભંગ મ પડશો હો પ્રીત; જિનેસર. $ બીજો મનમંદિર આણું નહીં, એ અમ કુલવટ રીત. જિનેસર. ૧ અર્થ : હે ભગવાન ! ધર્મનાથ જિનરાજ ! હું તારી ભક્તિ રંગથી ગાઉં છું, તેમાં મારી જે પ્રીતિ છે, પ્રેમ છે એમાં જરા પણ ફેર પડશો છે નહીં. અમે બીજા કોઈને અમારા મનમંદિરમાં પ્રવેશવા દેતા નથી. કારણ કે અમારા જેવા આત્માઓના કુળની એ રીત છે. ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે હો મર્મ; જિનેસર. ધરમ જિર્ણોસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ. જિનેસર. ૨ અર્થ : આ જગતના બધા લોકો “અમે ધર્મ કરીએ છીએ, ધર્મ છે શું કરીએ છીએ એમ કહેતા ફરે છે. પણ મને તો લાગે છે કે આ બધા છે ધર્મનો સાચો મર્મ તો જાણતા જ નથી. હે ભગવાન, તારા ચરણ હું પકડ્યા પછી કોઈ જીવ કર્મ તો બાંધતો જ નથી. 3 પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન; જિનેસર. 3 હૃદય નયણ નિહાળે જગધણી, મહિમા મેરૂ સમાન. જિનેસર. ૩ ફૂડું $; અર્થ : જો સદ્ગુરુ કૃપા કરીને પોતે પ્રવચનરૂપી અંજન આંજે, તો હું તે જીવો પોતાની પરમ આત્મસંપત્તિનો ભંડાર સ્પષ્ટ દેખે. પોતાના ? 3 હૃદયમાં ભગવાન આત્માને જોઈને એને મેરૂ પર્વત સમાન એનો ; મહિમા લાગે. હું દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે દોડ; જિનેસર. આ 3 પ્રેમ પ્રતીત વિચારો ટુંકડી, ગુરુગમ લેજો રે જોડ. જિનેસર. ૪ છે અર્થ : જગતના લોકો ભગવાન આત્માને શોધવા માટે જેટલી પોતાના મનની શક્તિ હોય તેટલી દોડાદોડ કરે છે. પરંતુ જો સાચો હું પ્રેમ હોય, સાચી શ્રદ્ધા હોય તો એ તો તદ્દન નજીક છે, જરા પણ દૂર શ્રી આનંદઘનજીની ચોવીસી ૨૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy