SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. અલબત જો ગુરુગમનું અવલંબન મળે તો જ નજીક છે. એક પખી કેમ પ્રીતિ વરે પડે, ઉભય મિલ્યા હુવે સંધિ; જિનેસર. હું રાગી, હું મોહે ફંદિયો, તું નિરાગી નિરબંધ. જિનેસર. ૫ અર્થ : એક પક્ષીય પ્રીતિ કે પ્રેમ ઠેકાણે કેમ પડે ? બંને મળી જઈએ તો સમાન થઈ જવાય. હે ભગવાન ! હું પોતે રાગથી ભરેલો છું અને મોહની જાળમાં ફસાયેલો છું. જ્યારે તું વીતરાગ છો અને કર્મના બંધ ન પડે તેવી સ્થિતિવાળો છે. પરમ નિધાન પ્રગટ મુખ આગળે, જગત ઉલ્લંઘી હો જાય; જિનેસર. જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધોઅંધ પલાય, જિનેસર. ૬ અર્થ : ભગવાન આત્મા મુખ આગળ જ પ્રગટ છે. અને લોકો બિચારા એની શોધમાં આખું જગત ફરી વળે છે. પણ જ્યાં સુધી ભગવાનના સ્વરૂપની જ્યોતિ નથી, ત્યાં સુધી આંધળાની પાછળ આંધળો જાય એવી પરિસ્થિતિ થાય છે. નિર્મલ ગુણ મણિ રોહણ ભૂધરા, મુનિજન માનસ હંસ; જિનેસર. ધન્ય તે નગરી ધન્ય વેળા ઘડી, માપતા કુલ વંશ. જિનૈસર. ૭ અર્થ : હે ભૂધર ! રોહણાચળ પર્વતમાં થતા નિર્મળ મણિ જેવા આપ ગુણવાન છો. મુનિઓને મન તો આપ માન સરોવરમાં વિહરતા હંસ સમાન છો. હે ભગવાન ! આપની જન્મભૂમિ-નગરીને ધન્ય છે. આપના જન્મ સમયની એ ઘડીને ધન્ય છે..આપના માતપિતાને ધન્ય છે. આપના વંશને ધન્ય છે. મન મધુકર વર કરજોડી કહે, પદકજ નિકટ નિવાસ; જિનેસર. ધનનામી આનંદઘન સાંભળો, એ સેવક અરદાસ. જિનેસર. ૭ અર્થ : આનંદઘનરૂપ જેનું ઘન સ્વરૂપ છે એવા હે ભગવાન ! મારી એક અરજ સાંભળો, મારો મનરૂપી ભમરો બે હાથ જોડીને વીર-રાજપથદર્શિની - ૨ ૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy