SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો; વચન નિરપેક્ષ વ્યવહાર સંસારફલ, સાંભળી આદરી કાંઈ રાયો. ૪ અર્થ : જે વ્યવહાર અપેક્ષા વિનાના વચન પ્રમાણે હોય, તે વ્યવહા૨ જૂઠો છે, અને વચનની અપેક્ષા સહિત જે વ્યવહાર થાય તે સાચો વ્યવહાર ગણાય. અપેક્ષા વિનાના વચન પ્રમાણે વ્યવહા૨ ક૨વાથી તો ચાર ગતિનું ફળ મળે છે. આમ સાંભળવા છતાં તેમ આદરીને કેમ રાજી થવાય ? દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે, કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણો; શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરી, છાર પર તેહ લીંપણું જાણો. ૫ અર્થ : જો વચન સાપેક્ષ વ્યવહારનો આદર કરવામાં ન આવે તો શુદ્ધ દેવ, સદ્ગુરુ અને ધર્મની શુદ્ધ આરાધના કઈ રીતે થઈ શકે ? અને શુદ્ધ શ્રદ્ધા કઈ રીતે રહી શકે ? શુદ્ધ શ્રદ્ધા કે સમકિત વગરની જો ક્રિયા કરવામાં આવે તો તે છાર-ખાર ભૂમિ ઉપર ગાર કરવા બરાબર છે એમ જાણો. પાપ નહીં કોઈ ઉત્સૂત્ર ભાષણ જિશ્યો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરિખો; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરીખો. ૬ અર્થ : ઉત્સૂત્ર પ્રરૂપણા ક૨વી, એના જેવું કોઈ પાપ નથી. યથાતથ્ય જ્ઞાનવાળો, વિરોધ વગરનો બોધ ક૨વો એના જેવો કોઈ ધર્મ નથી. જે ભવિજનો આગમ અનુસાર શુદ્ધ ક્રિયા કરે છે તેઓનું ચારિત્ર શુદ્ધ જાણો. એહ ઉપદેશનો સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત આનંદઘન રાજ પાવે. ૭ અર્થ : ઉપર કહ્યો તેવા ઉપદેશના સારનું જે ભવિક જીવો પોતાના ચિત્તમાં નિરંતર ધ્યાન ધરે છે તે જીવો બહુ કાળ સુધી દિવ્ય સુખને માણીને આનંદઘનરૂપી રાજ્ય નક્કી પામે છે. *** ૨૬ Jain Education International વીર-રાજપથદર્શિની - ૨ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy