SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ લો, અને આનંદઘન એવા આપના ચરણની સેવા પ્રાપ્ત થાય એવું છે હું મને કૃપા કરીને આપો. ૧૪. શ્રી અનંતનાથ સ્વામી ધાર તરવારની સોહલી, દોહલી, ચૌદમા જિનતણી ચરણસેવા; હું ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના-ધાર પર રહે ન દેવા. ૧ શું અર્થ ચૌદમા તીર્થંકર શ્રી અનંતનાથ સ્વામીની સેવા બહુ દુષ્કર છે. તરવારની ધાર પર નાચવું એ સહેલું છે પણ પ્રભુના ચરણની સેવા કરવી એ કઠિન છે. નટ, બાજીગર કે મદારીને તરવારની ધાર પર નાચતાં જોવામાં આવે છે પણ પ્રભુની સેવાની ધાર પર ચાલવું એ તો તેથી પણ વધારે મુશ્કેલ છે, કઠિન છે. એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લોચન ન દેખે; ફલ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહીં લેખે. ૨ 3 અર્થ : કોઈ કહે છે કે અમે જુદી જુદી ક્રિયા કરીને ભગવાનની શું સેવા ભક્તિ કરીએ છીએ પરંતુ તે ક્રિયાનાં ફળ પણ જુદાં જુદાં આવે શું છે જે એ લોકો દેખી શકતા નથી. તેથી અનેકાંત ફળ આપનારી જુદીજુદી ક્રિયાઓ કરીને બિચારા એ લોકો ચાર ગતિમાં રખડે છે. શું છે. ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતા, તત્ત્વની વાત કરતા ન લાજે; $ ઉદર-ભરણાદિ નિજ કાજ કરતા થકા, મોહ નડિયા કલિકાલ રાજે. ૩ અર્થ : જૈન ધર્મમાં ઘણા ગચ્છ-ભેદ જોવા મળે છે. આવા શું છે ઉપદેશકર્તાઓને તત્ત્વની વાત કરતા શરમ આવતી નથી. કેટલાક તો શું આ કાર્ય કરીને ઉદરભરણ કરે છે. આ કળિકાળમાં આવા જીવો ; મોહરાજાથી ઘેરાઈ ગયા છે. શ્રી આનંદઘનજીની ચોવીસી ર૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy