SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ બીજા માત્ર દ્રવ્યલિંગી- દ્રવ્ય દિક્ષાવાળા કહેવાય. પદાર્થને એટલે કે આત્મા અને જડ પુદ્ગલને જેમ છે તેમ જે પ્રકાશે તે મારા મતના 3સાથી છે. એમ આનંદઘન મહારાજ સાહેબ કહે છે. ૧૩. શ્રી વિમલનાથ સ્વામી દુઃખ દોહગ દૂરે ટળ્યાં રે, સુખ સંપરશું ભેટ; ધિંગ ધણી માથે કિયા રે, કણ ગંજે નર પેટ. વિમલ જિન, દીઠાં લોયણ આજ, મારાં સીધ્યાં વાંછિત કાજ. ૧ અર્થ : હે ભગવાન ! મારાં દુઃખ અને દુર્ભાગ્ય દૂર ચાલ્યા ગયા. મને સદેહે મોક્ષ સુખ ભોગવવાની સકલ સિદ્ધિ સાંપડી કારણ કે મેં આ મારા માથે એવા બળવાન ધણી કર્યા કે જેની પાસે હલકા લોકનું કે કષાયનું કાંઈ ચાલી શકે નહીં. છું હે પ્રભુ ! આ બધું મેં આજે પ્રત્યક્ષ તારા દર્શન કર્યા તેથી બન્યું. આ જિંદગીમાં મુક્તિ માટે જે જે કાર્ય કરવાની મારી ઇચ્છા હતી તે સફળ થઈ ગઈ. ચરણકમલ કમલા વસે રે, નિર્મલ થિર પદ દેખ; . સમલ અશિર પદ પરિહરી રે, પંકજ પામર પેખ.૩ અર્થ : કાદવમાંથી જેની ઉત્પત્તિ થઈ છે તેવું અને અસ્થિર તેમજ પામર જેવું જે કમળનું ફૂલ તેનો ત્યાગ કરીને, ભગવાનનાં ચરણકમળ છું કે જે કર્મરજથી રહિત છે એટલે કે નિર્મળ છે અને સ્થિર પદને પ્રાપ્ત થયેલ છે તેમાં જઈને લક્ષ્મી વસેલ છે. મુજ મન તુજ પદ પંકજે રે, લીનો ગુણ મકરંદ; રંક ગણે મંદિરઘરા રે, ઇંદ, ચંદ, નાગિંદ. ૩ શ્રી આનંદઘનજીની ચોવીસી ૨૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy