SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ : હે ચેતના ! સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાન કે જે સર્વોચ્ચ સુખ અને સર્વોચ્ચ સમૃદ્ધિ (નિજદ્રવ્ય ખજાના)નો હેતુ છે. તેમને વંદન કરીએ. (લલના એટલે કે ચેતના. તેને ઉદ્દેશીને આ સ્તવન લખાયું છે.) તેઓ શાંત સુધારસ એટલે કે અમૃત તેના સરોવર છે. અને આ ભવ સાગર તરવાને માટે સેતુ સમાન છે. સાત મહાભય ટાળતો, સપ્તમ જિનવર દેવ, લલના; સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ, લલના. ૨ અર્થ : હે ચેતના ! શ્રી તીર્થંકર દેવ આ લોક ભય અને પરલોક ભય આદિ સાત મહાભયને ટાળી નાખે છે. હે ભવ્ય ! પ્રથમ તો તારા મનને સાવધાન બનાવી દે (શુદ્ધ કરીને). પછી જિનેશ્વરની સેવામાં લાગી જા, ભગવંતના ચરણની સેવા કર. શિવશંકર, જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન, લલના; જિન અરિહા તીર્થંકરૂ, જ્યોતિ સ્વરૂપ અસમાન, લલના. ૩ અર્થ : મુક્ત એવા શંકર, જગતના ઈશ્વર, ચિદાનંદ જે જ્ઞાન અને આનંદથી ભરપૂર છે એવા ભગવાન, જિન અરિહંત આંતર શત્રુઓનો નાશ કરનાર, તીર્થંકર, તીર્થના સ્થાપનાર, જ્યોતિ સ્વરૂપ અને આકાશ જેવા. ૧૨ (ભગવાનના વિવિધ ગુણ પ્રમાણે આ નામ લખાયાં છે) અલખ, નિરંજન, વચ્છતુ, સકલ જંતુ વિસરામ, લલના; અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ, લલના. ૪ અર્થ : અલખ એટલે લક્ષમાં ન આવે તેવા, નિરંજન-અંજન રહિત, વચ્છલુ જગતનાં સર્વ જીવોને વિશ્રામ રૂપ તેમજ મુમુક્ષુઓને સદાય વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy