SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ કારણજોગે હો બંધ બંધને રે, કારણ મુક્તિ મુકાય; આસાવ સંવર નામ અનુક્રમે રે, હેય ઉપાદેય સુણાય. ૪ અર્થઃ જે કર્મનો બંધ થાય છે, તે તેને માટેનાં કારણોનો જોગ - બાઝે ત્યારે જ થાય છે. એ કર્મથી આત્મા ત્યારે જ મુક્ત થાય કે હું જ્યારે તેને તેનાં કારણો મળે. આશ્રવથી એટલે કે છીદ્રથી કર્મો આવે છે છે તે આશ્રવ હેય છે, છોડવા યોગ્ય છે. સંવરથી કર્મ આવતાં રોકાય 3 છે, જે ઉપાદેય છે – આદરવા યોગ્ય છે. મુંજન કરણે હો અંતર તુજ પડ્યો રે, ગુણકરણે કરી ભંગ; 3 ગ્રંથ ઉકતે કરી પંડિતજન કહ્યો રે, અંતર ભંગ સુસંગ. ૫ અર્થ: હે ભગવાન!મારા આત્મા સાથેના કર્મના જોડાણને કારણે આપણી વચ્ચે અંતર પડ્યું છે. અને મારું તમારી સાથે જોડાણ થવાથી એ અંતર ભાંગી શકાય તેમ છે. તારા જેવા ગુણો પ્રાપ્ત કરવાથી એટલે કે આંતરિક પુરુષાર્થથી એ અંતર ભાંગી શકાય તેમ છે. આપણી વચ્ચેનું આ અંતર ભાંગવાનો એ જ સારો ઉપાય છે એમ સુજ્ઞ પુરુષોએ ગ્રંથોમાં આગમોના પ્રમાણથી બતાવ્યું છે. - તુજ મુજ અંતર અંતર ભાંજશે રે, વાજશે મંગલ તૂર; જીવ સરોવર અતિશય વધશે રે. આનંદઘન રસપૂર, ૯ અર્થ : તારી અને મારી વચ્ચેનું અંતર ભાંગશે ત્યારે મંગળ વાજાં વાગશે. મારા જીવરૂપી સરોવરમાં આનંદઘન રૂ૫ રસનું પૂર આવશે, જીવ સરોવર આનંદથી છલકાઈ જશે. ૭. શ્રી સુપાર્શ્વનાથ સ્વામી શ્રી સુપાસ જિન વંદિયે, સુખસંપત્તિનો હેતુ, લલના; શાંત સુધારસ જલનિધિ, ભવસાગર માંહે સેતુ, લલના. ૧ શ્રી આનંદઘનજીની ચોવીસી ૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy