SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ 1 અભયદાન આપનારા અને આત્મામાં પૂરણપણે રમણ કરનારા એવા , ભગવાન છે. વીતરાગ, મદ, કલ્પના, રતિ અરતિ, ભય સોગ, લલના; નિદ્રા, તંદ્રા, દૂરદશા, રહિત અબાધિત યોગ, લલના. ૫ અર્થ: વીતરાગ ભગવાન મદ, કલ્પના, રતિ, અરતિ, ભય, શોક હું તેમજ નિદ્રા, તંદ્રા અને નીચી દશાથી રહિત છે. તેમના યોગ અબાધિત નું છે. એટલે કે મન, વચન, કાયાના તેમના યોગ બાધા કરનારા નથી. પરમ પુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન, લલના; પરમ પદારથ પરમેષ્ઠિ, પરમદેવ પરમાત્ર, લલના. ૭ અર્થ : પુરુષોમાં ઉત્તમ, પરમાત્મા આત્માઓમાં પરમ, પરમેશ્વરપરમ ઐશ્વર્યવાન, પ્રધાન- મુખ્યમાં પણ મુખ્ય, પદાર્થોમાં શ્રેષ્ઠ. ઉત્તમ હું ઇષ્ટ, દેવાધિદેવ એવાં જે વિશેષણો નામો ભગવાનને આપવામાં આવે છે શું છે. તે પ્રમાણ છે. વિધિ વિરંચિ, વિશ્વભરૂ, હૃષીકેશ જગનાથ, લલના; અઘહર, અઘમોચન ધણી, મુક્તિ પરમપદ સાથ, લલના. ૭ અર્થ : વિધાતા, બ્રહ્મા, વિશ્વનું ભરણપોષણ કરનાર, ઇન્દ્રિયોના હું દમનારા, જગતના નાથ, પાપને હરનાર, અને મોક્ષના પરમ માર્ગે સાથ આપનાર એવા ભગવાન છે. એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર, લલના; જેહ જાણે તેહને કરે, આનંદઘન અવતાર, લલના. ૮ શું અર્થ ઃ આમ ઉપર બતાવ્યાં એવાં અનેક નામ ભગવાનનાં છે. ભગવાન આવાં અનેક નામના ધારણ કરનારા છે.તે વિચાર અનુભવગમ્ય કું છે. ભગવાનને નામ પ્રમાણે ગુણથી જાણીને જે તેને અનુસરે તેને હું આનંદઘનનો અવતાર મળે. વિાવ શ્રી આનંદઘનજીની ચોવીસી ૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy