SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ હે પ્રભુ ! જ્યાં દૃષ્ટિનું મિલન ક્ષણવાર પણ ન થાય ત્યાં પ્રીતિ કેવી રીતે થાય ? આમાં દોષ કોને દેવો ? વળી આપની સેવાભક્તિ $ છું કરવામાં કચાશ કોણ રાખે ? માટે હે પ્રભુ ! છોકરબુદ્ધિ કરીને હું ભક્તોને ખોટું ખોટું સમજાવી ભરમાવવા ન જોઈએ. જાણ્યું તમારું જાણ, પુરુષ ના પારખો હો લાલ - પુરુષ. સુગુણ-નિગુણનો રાહ, કર્યો શું સારીખો હો લાલ - કર્યો. દીધે દિલાસે દીનદયાળ કહાવશો હો લાલ. દયાળ. કરુણા રસ ભંડાર બિરૂદ કેમ પાવશો હો લાલ. બિરૂદ. ૩ જાણનાર-જ્ઞાનવાળા પુરુષો સર્વ વસ્તુ પારખી શકે છે પરંતુ આપે તો ગુણવાળા અને ગુણ વિનાના બન્નેને સરખા ગણ્યા માટે જાણ-પુરુષ છું એવું બિરૂદ આપને ઘટે નહીં, વળી અમને દિલાસો આપ્યા પછી દર્શન છું આપ્યા નહીં. આપ દીનદયાળ કહેવાઓ છો. દુઃખીના દુઃખ કાપવામાં આપ કૃપાવંત છો તો પછી જો આપ મારા પર કૃપાદૃષ્ટિ નહીં કરો તો કરુણારસના ભંડાર એવું આંખનું બિરૂદ કેમ પામશો ? શું નિપજ્યા તુમે સિદ્ધ, સેવકને અવગણી હો લાલ, - સેવક. ભાખો અવિહડ પ્રીત, જાવા દ્યો ભોળામણી હો લાલ- જાવા દો. જો કોઈ રાખે રાગ નીરાગ ન રાખીએ તો લાલ - નિરાગ. ગુણ અવગુણની વાત કરી પ્રભુ દાખીએ હો લાલ - કહી. ૪ હે ભગવાન ! આપના સેવકની અવગણના કરીને આપ એકલા સિદ્ધ થઈને બેસી ગયા. આપની સાથેની પ્રીત કોઈ રોકી શકે નહીં એવી છે એમ આપ જણાવો છો. પણ આપે તો એમાં પણ મને શું ભુલાવીને આપે મારા પર પ્રીતિ વરસાવી નહીં. આપને કહું છું કે જો કોઈ આપના ઉપર પ્રેમ-રાગ રાખે તો આપે તેની પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ, નીરાગી થઈને બેસી જાવ તે સારું કહેવાય નહીં, આમ મેં આપને ગુણ-અવગુણરૂપી વાત કહી. | શ્રી મોહનવિજયજી કૃત ચોવીસી | ૨૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy